SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ દશમ રત્ન ] મર્યાદિવિંશતિ પ્રસાદ લક્ષણાધિકાર. ૩૫૧ તૃતીય પ્રાસાદ કલ્પના. प्रासादा द्वितीयाः ख्याता जनानंदसुखावहाः ॥ दशधा चाष्टधा कृत्वा तृतीयांश्च प्रकल्पयेत् ॥५॥ ઉપર પ્રમાણે દ્વિતીય પ્રાસાદની રચના કરવી. આ પ્રાસાદો માણસોને આનંદ તેમજ સુખ આપનાર છે. તેવી જ રીતે દશ ભાગે અથવા આઠ ભાગે તૃતીય પ્રાસાદોની પણ કલ્પના કરવી. ૫, द्विभागं कोणमित्युक्तं भद्रं भागद्वयं भवेत् ॥ प्रासादाश्च तृतीया वै हरये ब्रह्मणे प्रियाः ॥६॥ તલ ભાગ આઠના ક્ષેત્રમાં કેણ ભાગ બે તથા ભદ્રાર્ધ ભાગ બેનું કરવું. આ પ્રમાણે તુતીય પ્રાસાદની રચના કરવી. આ પ્રાસાદે હરિ અને બ્રહ્માને પ્રિય છે. ૬. विष्णू रुद्रस्तथा ब्रह्मा मेरुमध्ये प्रतिष्ठिताः ॥ त्रिप्रासादे त्रयो देवा राजानां तु सुखावहाः ॥७॥ તલાનુસાર વર્ણવેલા ત્રણ પ્રકારના મેરૂ નામના પ્રાસાદમાં કેમે વિષ્ણુ, રૂદ્ર અને બ્રહ્માને સ્થાપન કરવા. આ પ્રાસાદે રાજાઓને સુખ આપનારા છે. ૭. તમાનું સમાધાપૂર્ણિમા તુ શકે . पूर्वोक्तद्विसप्तत्यंशाः कर्णादिभद्रकान्तरे ॥८॥ પ્રાસાદના મધ્ય ભાગનું માને કહ્યું. હવે ઉપરનું બહારનું માન કહીએ છીએ. પૂર્વે કહેલા બેતેર તલભાગે કર્ણાદિથી ભદ્રાર્ધ સુધીના અંતરમાં જવા. ૮. જયેષ્ઠ મેરૂ સ્વરૂપ વર્ણન. रसकरयुगयुग्म-ऋतुनयननिगम युग्मभिश्चैव कर्तव्या संख्याभिर्भागकल्पना ॥९॥ રસ (૬), કર (૨), યુગ (), યુગ્મ (ર), અતુ (૬), નયન (૨), નિગમ (૪) અને યુગ્મ (૨); એ સંખ્યાએ કર્ણથી લઈ ભદ્ર સુધીના અંગેના ભાગની ભેજના કરવી. ૯. वसुभागसमं भद्रं षड्भागेन विनिर्गतम् ॥ तवंगरथिका भद्रे पञ्चशृङ्गाणि चोपरि ॥१०॥
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy