SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ શિલ્ય રત્નાકર [ પંચમ રન ક્ષીરાણુંવમાંથી ઉત્પન્ન થએલા (કહેલા) પ્રાસાદપૂજાના અર્થ અર્થાત્ પૂજન પ્રકારથી સર્વ પ્રકારનાં મંગલ ગીત તથા વાદ્યો સાથે વિદ્વાને પ્રાસાદના કલશની પૂજા કરી સ્થાપના કરવી. ૬૯ પ્રાસાદપુરૂષ પ્રાસાદના આમલસારામાં પધરાવવા વિષે. अथातः संप्रवक्ष्यामि पुरुषस्य प्रवेशनम् ॥ न्यसेच देवतागारे जीवस्थाने फलं लभेत् ॥७०॥ હવે હું પ્રાસાદપુરૂષ પધરાવવાને વિધિ કહું છું. હેવાલમાં જીવસ્થાને (જેમ શરીરમાં બ્રહ્મરંધ્ર એ જીવસ્થાન મનાયેલું છે તેમ પ્રાસાદરૂપ શરીરમાં આમલસારે એ જીવસ્થાન જાણવું) પ્રાસાદપુરૂષ પધરાવવાથી પ્રાસાદ કર્યો સફળ થાય છે. હ૦. प्रसाणश्चास्य. वक्ष्यामि प्रासादे चैव हस्तके ॥ तथार्धाङ्गुलसंख्या च कर्तव्या नात्र संशयः ॥७१॥ अर्धाङ्गुला भवेद् वृद्धिर्यावत्पश्चाशहस्तकम् ॥ एवंविधश्च कर्तव्यं सर्वकामफलप्रदम् ॥७२॥ હવે પ્રાસાદપુરૂષનું પ્રમાણ કહું છું. એક ગજના પ્રસાદને અર્ધા (વા) આગળને પ્રાસાદપુરૂષ કરવે. આ વિષે શંકા લાવવી નહિ અને ત્યાર પછી એકથી પચાસ ગજ સુધી દરેક ગજે અર્ધા (વા) આગળની વૃદ્ધિ કરવી. આ પ્રમાણે પ્રાસાદપુરૂષ કરે તે સર્વ કામનાઓના ફળને આપનાર છે. ૭૧, ૨. शयनश्चापि निर्दिष्टं पद्मश्च दक्षिणे करे ॥ त्रिपताकं करं वामं कारयेद् हृदि संस्थितम् ॥७३॥ घृतपात्रञ्च तन्मध्ये ताम्रजातं सुवर्णजम् ॥ सुवर्णपुरुषं तत्र रूप्यपर्यशायिनम् ॥७४॥ पर्यङ्कस्य चतुःपादे कुंभाश्चत्वार एव च ॥ सहेमनिधिसंयुक्ता आत्ममुद्राभिमुद्रिताः ॥७॥ પ્રાસાદપુરૂષનું (ચાંદીનું) શયનાસન (પર્યક, પલંગ) કરવાનો નિર્દેશ કરે છે. પ્રાસાદપુરૂષના દક્ષિણ હાથમાં કમળ આપવું તથા ડાબે હાથ ત્રણ પતાકાવાળી ધ્વજા ધારણ કરેલ અને છાતી ઉપર રાખેલે કરે. તે એવી રીતે કે ધ્વજા પકડેલે. હાથને ભાગ અતી ઉપર રહે અને વજા-પતાકાને ભાગ ખભા ઉપર આવે.
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy