SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ભા ઉત્તર ગુજરાતના ગામડાઓમાં દશમી સદીના સુંદર મંદિશ પૃથક્ પૃથક સ્થળોએ છે. કપડવણુજના કુંડ અને પ્રત્તાલ્યા તેમજ વડનગરના તારણ-પ્રતાલ્યાની કળા અનુપમ છે. મેઢેરાનું સૂર્ય મંદિર, મંડપ અને કુંડ દશમી અગ્યારમી સદીના કળાના ભડાર સમા છે. ગુજરાતની સુંદર કળાના વારસા રૂપ આ મહામુલી શિલ્પ સ્થાપ ત્યની કૃતિના અનુપમ અવશેષ અહીં જોવા મળે છે. ગુજરાત સૌરાષ્ટ્રના સેામપુરા શિલ્પીએ દેવમૂર્તિ તથા પ્રાણી પક્ષી આદિ મૂર્તિવિધાન સર્જવામાં કેવા કુશળ હતા તેની માઢેરા, આબુ, કુંભારીયાજી તથા પાટણની કલાકૃતિ સાક્ષી પુરે છે. આ કૃતિ ભારતના અન્ય સ્થાપત્યેાની કૃતિથી અનેાખી છે. મૈસુર રાજ્યના અગીયારમી સદીના હયશાળ રાજ્ય કુળાએ બંધાવેલ હલેબીડ, બેલુર અને સેામનાથપુરમ તથા એરિસાના કાણાક, ખજુરાહા, દેવગઢની કળાના ઉત્તમ નમૂનાથી પણ ચઢીયાતી મોઢેરા આબુની કળા-કૃતિઓ પ્રસ’શનીય છે. તેનું મૂર્તિ વિધાન ઉચ્ચ કાઢિનુ' છે. સિદ્ધપુરના સરસ્વતીના તીરે બાંધેલા ભવ્ય રૂદ્રમહાલયના ઉભેલા છૂટક ભાગેાના અવશેષ પરથી તેની ભવ્યતાના ખ્યાલ આવે છે. દશમી સદીમાં આરભેલે આ ગૌરવભર્યાં અતિ ભવ્ય, કળાપૂર્ણ મહાપ્રાસાદ ત્રીજી પેઢીએ સ`પૂર્ણ થયા. તેની ફરતા રૂદ્રના કળામય ૧૧ પ્રાસાદો હતા. તેમાંના પાંચક તે પાછળથી સિદના રૂપમાં ફેરવાયેલા સ્પષ્ટ માલુમ પડે છે. તારંગાનું ભવ્ય જૈનમંદિર આરમી સદીનું છે. ઓગણીસમી સદીમાં શિલ્પી પ્રેમચંદજીનુ` માંધેલુ' અમદાવાદનુ હઠીસિંહનુ વિશાળ બાવન જીનાલયનું સુંદર મંદિર દર્શનીય છે. સૌરાષ્ટ્રમાં અનેક પુરાણા સ્થાપત્યા પણ ઉલ્લેખનીય છે. પ્રભાસપાટણ ક્ષેત્રના મંદિશમાં સોમનાથજીના ઈતિહાસ પ્રસિદ્ધ મંદિરની કીર્તિ અને સમૃદ્ધિ હારા વર્ષોથી ગવાય છે. તેના લગ્ન મંદિરના નવેસરથી જીર્વાદ્વાર પ્રસિદ્ધ સરદાર સ્વ૦ વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી ના॰ શ્રી જામસાહેબ અને માનનીય શ્રી ક॰ મા મુનશીજીના ઉત્સાહથી ટ્રસ્ટ દ્વારા થઇ રહ્યો છે. પ્રાચીન લભ્ય શિલ્પની અગીયારમી સદીની પ્રતિકૃતિ રૂપ આ મંદિર પચ્ચીશેક લાખ રૂા. ના ખર્ચે ખંધાયુ છે. તેમાં સાતેક લાખનુ રૂપ નકશી કામ તથા દસેક લાખના નૃત્ય મંડપનું કામ બાકી છે, જે ભાવિક હિન્દુ ધાર્મિક પ્રજાની ઉદારતા પર અવલંબે છે. શ્રી સામનાથજીને ભવ્ય પ્રાસાદ ભારતના અન્ય નીજ મદિરામાં મોટામાં મોટા ગણી શકાય તેવા ઉત્કૃષ્ટ પ્રકારના અગીયારમી સદીના ચાલુકય કાળની પદ્ધતિના રચ્ચે છે. દેવ સ્વરૂપે, દેવી-દેવાના, કિન્નર, યક્ષ, ગધવ-વિદ્યાધરાની મૂર્તિએ મનુષ્ય કદની છે. નવ મજલાનુ પેણુાખસે ફૂટ ઉંચુ શિખર, ત્રણ ગેલેરીઓવાળો ભવ્ય મંડપ, તે પરની સંવરણા, કળામય વિતાન (ધુમટ)નુ નકશીકામ એ સવ` શિલ્પની અદ્ભૂત કૃતિ છે. આ ભવ્ય મંદિરની મુલાકાતે આવનારા યુરાપ, અમેરિકા, જાપાનના વિદેશી મુસાફર તથા પુરાતત્વવિદે આવી કૃતિ આ કાળમાં ઉભી થતી જોઇને અચ પામે છે અને પ્રશ્ન કરે છે કે “ ભારતમાં આ કળાના શિલ્પીઓને વગ થ્રુ હજુ
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy