SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વકર્મા સાથે પ્ર©ાદનું પણ નામ મળે છે. હિરણ્યકશિપુના પુત્ર પ્રહાદ આનાથી બિન હતા કે કેમ તેને ઉલેખ મળતું નથી. અગ્નિપુરાણની આખ્યાયિકામાં વર્ણવેલા પચીશ તંત્રગ્રંમાં તંત્ર તથા જ્યોતિષ સાથે શિપ પણ આપેલ છે. ભારતને શિલ્પી વર્ગ ભારતના પ્રત્યેક પ્રાંતમાં પ્રાચીન શિલ્પનો અભ્યાસી વગ વસે છે. અને તેઓ પિતપોતાની (નાગરાદિ, દ્રવિડાદિ કે ભૂમિજાદિ જાતિના પ્રાસાદની રચના કરે છે. પરંતુ કાળ બળે કે ધર્મ પ્રત્યેના દુર્લક્ષે કે વિધર્મીઓની ધર્માધતાના કારણે અમુક પ્રાંતોમાં તે વર્ગ સાવ નષ્ટ થઈ ગયેલ છે. તેથી તે પ્રાંતની શિલ્પા શિલી (પદ્ધતિ) મૂળ કેવા પ્રકારની કયા કાળમાં હતી તે જાણવાનું સાધન પણ આજે રહ્યું નથી. દા. ત. બંગાળ, બિહાર, સિંધ, સરહદપ્રાંત, કાશમીર ઈત્યાદિ પ્રાંતમાં પ્રાચીન શિલ્પ જેવી વસ્તુનું અસ્તિત્વ જ રહેવા પામ્યું નથી. બિહારમાં ખોદકામમાંથી સુંદર અવશેષ મળે છે. પણ વિધમીઓના આક્રમણના લીધે પંજાબ, ઉત્તર પ્રદેશ સ્થા સરહદ પ્રાંતની જેવી તેની પણ સ્થિતિ થઈ છે. ઉપર કહ્યો તે શિલ્યનો અભ્યાસી વર્ગ તેરમી ચૌદમી સદી સુધી પ્રત્યેક પ્રાંતમાં હતું. તેમણે શિલ્પના ગ્રંથે પણ જાળવી રાખેલા, જેમાં આપેલા નિયમાનુસાર પિતાના પ્રાંતની શિલ્પ શાલીના સ્થાપત્યની રચના તેઓ કરતા હતા. સેમપુરા શિલ્પીઓ શિલ્પનો આ અભ્યાસી વર્ગ પશ્ચિમ ભારતમાં સોમપુરા બ્રાહ્મણ શિલ્પીઓને છે. સ્કંધપુરાણના પ્રભાસ ખંડમાં તેમની ઉત્પત્તિનો ઉલ્લેખ છે. પૂર્વે સૌરાષ્ટ્રમાં સમ–પુરી (સોમનાથ પ્રભાસપાટણ)માં ક્ષય દેશના શ્રાપના નિવારથે ચકે સમયજ્ઞ કર્યો. તેમાં તેજસ્વી બ્રાહ્મણને આમંચ્યા હતા. કાર્ય પૂર્ણ થયેથી ચંદ્ર સેમપુરી ગ્રામ રત્નાદિ ભેટે સાથે સમપુરા બ્રાહ્મણને આપી સંતુષ્ટ કર્યા. તેમાંના શિલ્પકાર્યમાં પ્રવીણ બ્રાહ્મણોએ તીર્થની યજમાન વૃત્તિ કે દાન સ્વીકારવાની અનિચ્છા બતાવી. તેમણે શિલ્પજ્ઞ ગૃહસ્થ તરીકે રહેવાને આગ્રહ સે. સોમપુરા શિલ્પીઓની ઉત્પત્તિ વિશે પુરાણોમાં ઉલ્લેખ છે. સોમપુરા શિલ્પીને પવિત્ર માનેલ છે. તેમની ઉત્પત્તિ અને તેઓએ શિલ્પ કમને સ્વીકાર કેમ કર્યો તે હવે જોઈએ प्रभासेयुत्पतिर्यस्य शिल्पकर्म पदायिना सोमपुरा ज्ञाति रूपोहि देहः श्री विश्वकर्मणः ॥१॥ सोमनाथाज्ञयाकेचित् सोमपुरारिति स्मृताः पाषाण कर्म कर्तारो विश्वकर्मानुगामिनः ॥ २ ॥
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy