SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ શ્રીસિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન સિદ્ધહેમ વ્યાકરણ પરથી સંક્ષિપ્ત કરેલા : - આ વ્યાકરણ પરથી સંક્ષિપ્ત કરેલાં કેટલાંક વ્યાકરણ આપણને ઉપલબ્ધ થાય છે, તેમાં નીચે મુજબનાં ગણાવી શકાય. આમાં શ્રીપ્રભાચંદ્રસૂરિએ સં. ૧૩૩૪માં રચેલા “પ્રભાવરિત'ના મહેન્દ્રસૂરિ પ્રબંધમાંથી જાય છે કે, શ્રી પ્રદ્યુમ્નસૂરિના ગુરુ શ્રીદેવાનંદસૂરિએ “સિદ્ધહેમ વ્યાકરણથી ઉદ્ધાર કરીને “સિદ્ધસારસ્વત’ નામનું નવું વ્યાકરણ બનાવ્યું જે સિદ્ધહેમ વ્યાકરણમાંથી રચાયેલું પ્રથમ વ્યાકરણ હેવાનું અનુમાન છે. ૧. સિદ્ધસારસ્વત શ્રીદેવાનંદરિ ૨. ચંદ્રપ્રભા (હેમકૌમુદી) (શ્રીમેધવિજય ઉપાધ્યાય. સં. ૧૭૫૮ શ્વેકપૂર ૭૦૦૦) ૩. હૈમ શબ્દચંદ્રિકા ૪. હૈમ પ્રક્રિયા મહેન્દ્રસુત વીરસી ૫. હૈમ લઘુપ્રક્રિયા શ્રીવિનયવિજય ઉપાધ્યાય (સં. ૧૭૧૦) ૬. હૈમ પ્રકાશ (હેમ પ્રક્રિયાબતન્યાસ) ભા. ૧. ૨. , (૩૪૦૦૦ કપૂર) ૭. હૈમ બૃહતપ્રક્રિયા (આધુનિક ) શોગિરજાશંકર શાસ્ત્રી ૮. બાલભાષા વ્યાકરણ સૂત્રવૃત્તિ આ સિવાય આધુનિક સમયના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીએ બ્રહદ્દેમ પ્રભા’ અને ‘લઘુહેમ પ્રભા' નામના ગ્રંથ રચ્યા છે જેમાં “સિદ્ધહેમવ્યાકરણનું એક પણ સૂત્ર જતું કર્યું નથી અને સંક્ષિપ્ત રચના કરી છે એ એની વિશેષતા છે. વળી, આચાર્ય શ્રી. સાગરાનંદસૂરીશ્વરજીએ પણ “સિદ્ધપ્રભા’ નામનું એક સંક્ષિપ્ત વ્યાકરણ બનાવ્યું છે. આ સિવાય “પ્રાકૃત વ્યાકરણને કૌમુદીક્રમે ગોઠવી ખરતરગચ્છાચાર્ય શ્રી. કૃપાચંદ્રસૂરિજીએ બનાવેલું વ્યાકરણ પણ મળી આવે છે. આ સૌમાં શ્રી. મેઘવિજય ઉપાધ્યાય અને શ્રી. વિનયવિજ્ય ઉપાધ્યાયનાં વ્યાકરણની રચના ગંભીર અને સરળ હેવાથી વધારે સફળ થઈ છે. જૈન સાધુઓમાં તેના પઠન-પાઠનમાં પ્રવૃત્તિ સારી હતી. આજે તેથી પણ વિશેષ પ્રગતિ લધુવૃત્તિની સેવામાં આવે છે. સિદ્ધહેમ વ્યાકરણ પરના ટીકા ગ્રંથો: “સિદ્ધહેમ વ્યાકરણ” પર શ્રી. હેમચંદ્રાચાર્યની ટીકા-રચનાઓ સિવાયના અનેક ટીકાગ્રંથો આજે પણ આપણને ઉપલબ્ધ થાય છે. તેમાંથી મળી શક્ય તેટલાં નામે નીચે દર્શાવવામાં આવે છે. ટીકાથ નામ શ્લેકસંખ્યા કર્તા રચનાસંવત ૧. લધુન્યાસઃ ૫૩૦૦૦ શ્રી. રામચંદ્રસૂરિ (શ્રી હેમચંદ્રસૂરિના શિષ્યઃ તેમના સમકાલીન) શ્રી ધર્મદેવસૂરિ ૩. કતિચિદ દુર્ગપદવ્યાખ્યા શ્રી દેવેન્દ્રસૂરિ (ઉદયચંદ્રના શિષ્ય) ૪. ન્યાસોદ્ધારઃ (આ ન્યાસ આ ગ્રંથની સાથે શ્રી. કનકપ્રભસૂરિ (ચંદ્રગીય દેવેન્દ્રસૂરિ જ આપવામાં આવ્યો છે.) શિષ્ય) ૫. હૈમલgવૃત્તિ શ્રી. કાકલ કાયસ્થ (હેમચંદ્રસૂરિને સમકાલીન) ૬. હૈમ બહરિ ઢુંઢિકાઃ શ્રી. સૌભાગ્યસાગર (સં. ૧૫૯૧) ૭. હૈમ (સંસ્કૃત) વ્યાકરણ ટુંદ્રિકા શ્રી. વિનયચંદ્ર ૮. હૈમ (પ્રાકૃત) વ્યાકરણ હુંદ્રિકા શ્રી. ઉદયસૌભાગ્યગણિ
SR No.008409
Book TitleSwopagnyashabda maharnavnyas Bruhannyasa Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorLavanyasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages522
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Grammar
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy