SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદઘાત : ૩૫ પરમૈપદ, આત્મપદ તથા ઉભયપદ સંબંધી અનુબંધે પણ સાથે જ નિર્દેશવામાં આવ્યા છે. “સિદ્ધહેમ વ્યાકરણમાં ધાતુના નવ ગણે છે, તેમાં: ૧. વાદિ ગણને અનુબંધ નથી. ૨. અદાદિને ઠુ, ૩. દિવાદિને , ૪. સ્વાદિને ટૂ, ૫. તુદાદિને ૫, ૬. ધાદિને ૬, ૭. તનાદિને ૬, ૮. યાદિને , અને ૯. યુરાદિને , એવા ગણાયક અનુબંધ છે. બાકી મૂળ પ્રકૃતિ સાથેના અનુબમાં ૬ કે રુ, હું કે , ૩, , ૪, ઇ છે અને સૌ એ પ્રકારે નિર્દેશ કરવામાં આવ્યું છે. આ વિગતનું જ્ઞાન ધાતુપારાયણ’ વિના મળી ન શકે. આથી જ સૂત્રની સાથે તેની ઉપયોગિતા છે. હૈમધાતુપારાયણમાં પણ કેટલાયે પ્રાચીન ગ્રંથકાર અને ગ્રંથનાં નામે ઉલ્લેખ્યાં છે અને તેમના ઋણનું તેમણે સમરણ કરાવ્યું છે. તેમાં કૌશિક, મિલ, કણવ, માધ, કાલિદાસ, ભગવદ્દગીતા વગેરેના ઉલ્લેખ કરેલા છે. ૪. ગણપાઠ કેટલાક શબ્દોને વ્યાકરણનો નિયમ એકસરખો લાગુ પડતું હોય ત્યારે તેને પ્રથમ શબ્દ ઉલ્લેખીને આદિ' શબ્દ વડે બાકીના શબ્દોને તેમાં સંગ્રહ કરવામાં આવે છે. સૂત્રમાં લાઘવ લાવવા માટે આ રીત અપનાવેલી હોય છે. દા. ત. “તલ જે માત” [૨. , ૭] આ સૂત્રમાં માત્ર “સર્વ' શબ્દ ઉલ્લેબી “આદિ' શબ્દ નિર્દેશવામાં આવ્યો છે, જેમાં વિશ્વ, ઉભ, ઉભય, અન્ય, અન્યતર, ડતર, ડતમ, સમ, સિમ, એક, પૂર્વ, અપર, વર, દક્ષિણ, ઉત્તર, અપર, અધર, રવુ, અત્તર વગેરે શબ્દને સંગ્રહ કર્યો છે. આ બધા શબ્દોના ચતુથ-પંચમી વિભક્તિના છે અને હરિ ને રમ અને wા થાય છે. આમાં પણ જ્યાં વિશેષતા નિર્દેશાવી હેય છે તે અલગ સૂત્રોમાં નિર્દેશી છે. આ ગણપાઠ “બ્રહવૃત્તિમાં તે તે સ્ત્રમાં આપવામાં આવ્યું છે પણ “લgવૃત્તિમાં આ શબ્દ સમૂહ૫ ગણપાઠ આપવામાં આવ્યું નથી. આથી ગણપાઠની ઉપયોગિતા સુત્રની સાથે જ છે. એ વિના સૂત્ર કે “લઘુવૃત્તિ' ઉપરથી વ્યાકરણ પરિચય અધૂરો જ રહે. સિદ્ધહેમ વ્યાકરણના સહાયક આ સિવાય બીજ આચાર્યો કે જેમણે હેમચંદ્રાચાર્યના વ્યાકરણ ઉપર સ્વતંત્રપણે લખ્યું છે તેમને અને તેમના રચિત ગ્રંથને નીચે ઉલ્લેખ કરાય છે. ગ્રંથ ગ્રંથકાર અને સમય ૧. ન્યાયમંજુષા શ્રી હેમહંસગણિ (સં. ૧૫૧૫) ૨. ક્રિયારત્નસમુચ્ચય શ્રીગુણરત્નસૂરિ (સં. ૧૪૬૬) ૩. સ્વાદિશબ્દસમુચ્ચય શ્રીઅમરચંદ્રસૂરિ (સં. ૧૨૪૩–૧૨૨૬ વિદ્યમાનતા) ૪. ધાતુપાઠ (સ્વરવર્ણાનુક્રમયુક્ત): શ્રી પુણ્યસુંદરગણિ ૫. કવિક૯૫મ શ્રીહર્ષવિજય ૬. હૈમવિશ્વમ-સટીક શ્રીગુણચંદ્રસૂરિ (તેરમે સંકે) ૭. હેમવિશ્વમ-વૃત્તિ શ્રીજિનપ્રભસૂરિ (ચૌદમો સેકે) ૮. હૈમલધુન્યાયપ્રશસ્તિ-અવસૂરિ શ્રીઉદયચંદ્ર ૯. લિંગાનુશાસન–અવસૂરિ શ્રી જયાનંદસૂરિ આ બધાય ગ્રંથ પિતપોતાના વિષયમાં “સિદ્ધહેમ વ્યાકરણના અભ્યાસીને વ્યુત્પત્તિ કરાવવા માટે પૂરતાં સાધનરૂપ છે.
SR No.008409
Book TitleSwopagnyashabda maharnavnyas Bruhannyasa Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorLavanyasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages522
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Grammar
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy