SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપઘાત ઃ ૧૭ પાણિનીય' માં ૪૦૦૦ સુ છે. આ વ્યાકરણ પર વાર્તિકકારે, ભાખ્યકારે, તેને લગતાં ઉણુદિસૂત્ર, ધાતુપાઠ, પરિભાષા વગેરે ગ્રંથે પણ ભિન્ન ભિન્ન કતાઓએ રચી એ વ્યાકરણને સાંગોપાંગ બનાવવાને પ્રયત્ન કર્યો છે પાણિનિ પછી વ્યાકિને “સંગ્રહ' ગ્રંથનું નામ મળે છે. આ ગ્રંથ એક લાખ શ્લેકાત્મક હતે. પરંતુ તે નષ્ટ થયું છે. ૧૧ પતંજલિએ આ વ્યાકરણ ગ્રંથને ઉલેખ કર્યો છે. વાડિએ કેઈ કષ ગ્રંથ બનાવ્યો હોય એમ પણ જણાય છે. શ્રીમદ્દહેમચંદ્રસૂરિજીએ એમને કષકાર તરીકે “અભિધાન ચિંતામણિમાં ઉલ્લેખ્યા છે. વ્યાતિ, ઈદ્રદત્ત અને વરચિ, જેઓ ત્રણે સહાધ્યાયીઓ હતા; તેમને ઉપાધ્યાય વર્ષ નામે હતા. વરરુચિ જેને બીજા નામથી કાત્યાયન તરીકે ઓળખવામાં આવે છે, તે ઈ. સ. પૂર્વે ૨૫૦ થી ૨૦૦ની આસપાસ થયો છે. તેણે “પાણિનીય 'ના ૧૨૪૫ ઉપર “વાર્તિક' રચ્યાં છે. તે સિવાય “વ્યાકરણ કારિકા, પ્રાપ્તપ્રકાશ, પુષ્પસત્ર, લિંગકૃત્તિ' વગેરે પ્રથે પણ તેણે બનાવ્યા છે. પ્રાચીન વૈયાકરણના સંસ્કૃત પ્રચારનું અધિક ફળ ત્યાં સુધી ન આવ્યું જ્યાં સુધી ઈ. સ. પૂર્વે બીજી શતાબ્દીની મધ્યમાં શુગના ગુરુ ગોનર્દીય (ગોનર્દ—માલવામાં વિદિશા અને ઉજજેનની વચ્ચે પાલ પાસેનું કોઈ રળ) પતંજલિ પોતાની પ્રતિભાને શુંગાના પ્રભુત્વ સાથે મેળવી તેના પ્રતિનિધિ રૂપે ઊભા ન થયા. મહર્ષિ પતંજલિએ “પાણિનીય ' અને તે પૂર્વેના બધા વ્યાકરણ ગ્રંથોનો અભ્યાસ કરીને જ “પાણિનીય ’નાં ૧૭૧૩ સૂત્ર પર “મહાભાષ્યની રચના કરી. આ ગ્રંથ પ્રૌઢ ભાષામાં લખાયેલું અતિવિસ્તૃત પ્રયતન : ગણાય; એટલું જ નહિ પણ “પાણિનીય'ના સંસ્કૃતને ચિરસ્થાયી રૂપે આપવાનું ગૌરવ “મહાભાષ્ય 'કારને જ ઘટે છે. શ્રી હેમચંદ્રસુરિજી શેષને પિતાના ન્યાસગ્રંથની આદિમાં ખૂબ ભાવપૂર્વક મરે છે.૧૫ તેમણે ન્યાસરચનાની પ્રવૃત્તિ મહાભાષ્યને દૃષ્ટિમાં રાખીને જ કરી છે. એ પછી રચાયેલું “કાતંત્ર વ્યાકરણ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એમ બે ભાગમાં વહેંચાયેલું છે. તદ્ધિતપ્રકરણ સુધીને ભાગ પૂર્વાર્ધ અને કૃદંત પ્રકરણ રૂપ ઉત્તરાર્ધ ભાગ છે. પૂર્વ ભાગના કર્તા શિવશર્મા હતા એમ વિદ્વાનોનું માનવું છે; વસ્તુતઃ શિવશર્મા એની બહવૃત્તિને કર્તા છે. અનુકૃતિઓના આધારે “કાતંત્ર'ની રચના મહારાજા સાતવાહનના કાળમાં થઈ હતી. પરંતુ આ વ્યાકરણ એથીયે પ્રાચીન છે એમ યુધિષ્ઠિર મીમાંસકનું માનવું છે. કાતંત્રવૃત્તિને કર્તા દુર્ગસિંહના કથન મુજબ કૃદંત ११. “ प्रायेण संक्षेपरुचीनस्पविद्यापरिग्रहान् । संप्राप्य वैयाकरणान् संग्रहेऽस्तमुपागते ॥" -~वाक्यपदीय કાંડ ૨, શ્લે. ૪૮૪. ૧૨. જુઓઃ “ રિસાર ” તરંગ ૪ ના શ્લોક ૧, ૨, ૨૦. ૧૩. શુગના સમયના જ સૌથી પહેલવહેલા સંસ્કૃત શિલાલેખે મળે છે. 98. Systems of Sanskrit Grammar, P. 32. १५. श्रीमन्तमजितं देवं, श्रीमापा जिनोत्तमम् ! શેષ નિરોષ, રવા રચ કતરે જુઓઃ આ પુસ્તકનું પાન ૧, પંક્તિ ૨૧] 98. 'Katantra (14%) must have been written during the close of tha Andhras in 3 rd century A. D."- Muthic Jous r.al,' ormy. 1626 41 242Hi ડૉ. શામશાસ્ત્રીને લેખ.
SR No.008409
Book TitleSwopagnyashabda maharnavnyas Bruhannyasa Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorLavanyasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages522
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Grammar
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy