________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦૪ ]
[ મોક્ષશાસ્ત્ર ટીકા
૧. અહીં અધિકરણનો અર્થ નિમિત્ત થાય છે. છઠ્ઠી સૂત્રમાં આસ્રવની તારતમ્યતાના કારણમાં એક કારણ અધિકરણ” કહ્યું છે. તે અધિકરણના પ્રકાર બતાવવા માટે આ સૂત્રમાં જીવ અને અજીવ કર્માક્સવમાં નિમિત્ત છે એમ જણાવ્યું છે.
૨. જીવ અને અજીવના પર્યાયો અધિકરણ છે એમ બતાવવા માટે સૂત્રમાં દ્વિવચન નહિ વાપરતાં બહુવચન વાપરેલ છે. જીવ-અજીવ સામાન્ય અધિકરણ નથી પણ જીવ-અજીવના વિશેષ પર્યાયો અધિકરણ થાય છે. જો જીવ-અજીવ ના સામાન્યને અધિકરણ કહેવામાં આવે તો સર્વે જીવ અને સર્વે અજીવ અધિકરણ થાય. પણ તેમ થતું નથી, કેમ કે જીવ-અજીવના વિશેષ-વિશેષ પર્યાય જ અધિકરણ સ્વરૂપ થાય છે. || ૭ |
જીવ-અધિકરણના ભેદ आद्यं संरंभसमारंभारंभयोगकृतकारितानुमतकषाय
विशेषैस्त्रिस्त्रिस्त्रिश्चतुश्चैकशः।।८।। અર્થ - [ સા ] પહેલો અર્થાત્ જીવ અધિકરણ-આસ્રવ [સંરક્સ સમારમ્ભ સારંમ ] સંરંભ-સમારંભ-આરંભ [યો1] મન-વચન-કાયરૂપ ત્રણ યોગ [કૃત છારિત અનુમત ] કૃત-કારિત-અનુમોદના તથા [ષાયવિશેષે:૨] ક્રોધાદિ ચાર કષાયોની વિશેષતાથી [ત્રિ: ત્રિ: ત્રિ: વતુ:] x ૩ X ૩ X ૩ ૪ ૪ [gશ: ] ૧૦૮ ભેદરૂપ છે.
ટીકા
સન્માદિ ત્રણ પ્રકાર છે; તે દરેકમાં મન-વચન-કાય એ ત્રણ બોલ લગાડવાથી નવ ભેદ થયા; તે દરેક ભેદમાં કૃત-કારિત-અનુમોદના એ ત્રણ બોલ લગાડવાથી સત્તાવીસ ભેદ થયા અને તે દરેકમાં ક્રોધ-માન-માયા-લોભ એ ચાર બોલ લગાડવાથી કુલ એકસો આઠ ભેદ થાય છે. આ બધા ભેદ જીવ-અધિકરણ આસ્રવના છે.
સૂત્રમાં જ શબ્દ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન કષાયના ચાર પ્રકાર સૂચવે છે.
અનંતાનુબંધી કષાય-જે કષાયથી જીવ પોતાના સ્વરૂપાચરણ ચારિત્રનું ગ્રહણ ન કરી શકે તેને અનંતાનુબંધી કષાય કહેવાય છે અર્થાત્ આત્માના સ્વરૂપાચરણ ચારિત્રને જે ઘાતે તેને અનંતાનુબંધી કષાય કહેવાય છે.
અનંત સંસારનું કારણ હોવાથી મિથ્યાત્વને “અનંત' કહેવામાં આવે છે; તેની સાથે જે કષાયનો બંધ થાય છે તેને અનંતાનુબંધી કષાય કહેવાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com