________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
અ. ૬ સૂત્ર ૮–૯ ]
[ ૪૦૫
અપ્રત્યાખ્યાન કષાય-જે કષાયથી જીવ એકદેશરૂપ સંયમ (-સમ્યગ્દષ્ટિશ્રાવકનાં વ્રત ) કિંચિત્ માત્ર પામી ન શકે તેને અપ્રત્યાખ્યાન કષાય કહેવાય છે.
પ્રત્યાખ્યાન કષાય-જે કષાયથી જીવ સમ્યગ્દર્શનપુર્વકના સકળ સંયમને ગ્રહણ કરી શકે નહિ તેને પ્રત્યાખ્યાન કષાય કહેવાય છે.
સંજ્વલન કષાય-જે કષાયથી સંયમી જીવનો સંયમ તો ટકી રહે પરંતુ શુદ્ધ સ્વભાવમાં–શુદ્ધોપયોગમાં પૂર્ણપણે લીન થઈ શકે નહિ તેને સંજ્વલન કષાય કહેવાય છે.
સંરમ્ભ-કોઈ પણ વિકારી કાર્ય કરવાનો નિર્ણય-સંકલ્પ કરવો તેને સંમ્ભ કહેવાય છે. (સંકલ્પ બે પ્રકારના છે. ૧. મિથ્યાત્વરૂપ સંકલ્પ, ૨. અસ્થિરતારૂપ સંકલ્પ )
સમારંભ-તે નિર્ણયને અનુસરીને સાધનો મેળવવાનો ભાવ તેને સમારંભ કહેવાય છે.
આરંભ-તે કાર્યની શરૂઆત કરવી તેને આરંભ કહેવાય છે. કૃત- પોતે જાતે કરવાનો ભાવ તેને કૃત કહેવાય છે.
કારિત-બીજા પાસે કરાવવાનો ભાવ તેને કારિત કહેવાય છે.
અનુમત-બીજાઓ કરે તેને ભલું સમજવું તેને અનુમત કહેવાય છે. ।।૮।। અજીવ-અઘિકરણ આસવના ભેદો
निर्वर्तनाक्षेपसंयोगनिसर्गा द्विचतुर्द्वित्रिभेदाः परम् ।। ९ ।।
અર્થ:- [પક્] બીજો અર્થાત્ અજીવ-અધિકરણ આસ્રવ [નિર્વર્તના દ્વિ] બે પ્રકારની નિર્વર્તના, [નિક્ષેપ વતુ: ] ચાર પ્રકારના નિક્ષેપ, [સંયોગ દ્વિ] બે પ્રકારના સંયોગ અને [નિસર્ગા: ત્રિ મેવા: ] ત્રણ પ્રકારના નિસર્ગ-એમ કુલ ૧૧ ભેદરૂપ છે.
ટીકા
નિર્વર્તના-રચના કરવી-નિપજાવવું તે નિર્વર્તના છે; તેના બે પ્રકાર છેઃ ૧શરીરથી કુચેષ્ટા ઉપજાવવી તે દેહ-દુઃપ્રયુક્ત નિર્વર્તના છે અને ૨-શસ્ત્ર વગેરે હિંસાના ઉપકરણની રચના કરવી તે ઉપકરણનિર્વર્તના છે. અથવા બીજા પ્રકારે બે ભેદ આ પ્રમાણે પડે છેઃ ૧- પાંચ પ્રકારનાં શરીર, મન, વચન, શ્વાસોશ્વાસનું નિપજાવવું તે મૂળગુણ નિર્વર્તના છે અને કાષ્ટ, માટી વગેરેથી ચિત્ર વગેરેની રચના કરવી તે ઉત્તરગુણ નિર્વર્તના છે.
નિક્ષેપઃ-વસ્તુને મૂકવી તે નિક્ષેપ છે. તેના ચાર ભેદ છેઃ ૧. જોયા વિના વસ્તુ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com