________________
[ ર૬૭
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૩ સૂત્ર ૩૯ ] જંબુદ્વીપ છે. જંબુદ્વીપની વચમાં એક લાખ યોજન સુમેરુ પર્વત છે, એક હજાર યોજન જમીનની અંદર તેનું મૂળ છે, નવ્વાણું હજાર યોજન જમીનની ઉપર છે, અને ચાલીશ યોજનની તેની ચૂલિકા (ચોટલી) છે.
૨. જંબુદ્વીપની વચમાં પશ્ચિમ-પૂર્વ લાંબા છ કુલાચલ (પર્વત) છે, તેનાથી જંબુદ્વીપના સાત ખંડ થઈ ગયા છે, તે સાત ખંડોના નામ-ભરત, હૈમવત, હરિ, વિદેહ, રમ્યક, હૈરણ્યવત્ અને ઐરાવત છે.
(૨) ઉત્તરકુરુ-દેવકુફ વિદેહક્ષેત્રમાં મેરુની ઉત્તર તરફ ઉત્તરકુરુ તથા દક્ષિણ તરફ દેવકુર ક્ષેત્ર છે.
(૩) લવણસમુદ્ર જંબુઢીપની ચારે તરફ ખાઈની માફક વિંટાયેલો બે લાખ યોજન પહોળો લવણ સમુદ્ર છે.
(૪) ધાતકીખંડદ્વીપ લવણસમુદ્રની ચારે બાજુ વિંટાએલ ચાર લાખ યોજન પહોળો ધાતકીખંડદ્વીપ છે. આ દ્વીપમાં મેરુ પર્વત છે, તેમ જ ક્ષેત્ર તથા કુલાચલ (પર્વત) વગેરેની બધી રચના જંબુદ્વીપથી બમણી છે.
(૫) કાલોદધિ સમુદ્ર ધાતકીખંડની ચારેબાજુથી વિંટાયેલ આઠ લાખ યોજન પહોળો કાલોદધિ સમુદ્ર છે.
(૬) પુષ્કરદ્વીપ ૧. કાલોદધિસમુદ્રની ચારે બાજુ વિંટાયેલ સોળ લાખ યોજન પહોળો પુષ્કરદ્વીપ છે. આ દ્વીપની વચોવચ વલય (ચૂડીના) આકારે પૃથ્વી ઉપર એક હજાર બાવીસ (૧૮૨૨) યોજન પહોળો, સત્તરસો એકવીસ (૧૭૨૧) યોજન ઊંચો અને ચારસો સત્તાવીશ (૪૨૭) યોજના જમીનની અંદર જડવાળો માનુષોત્તર પર્વત છે, અને તેનાથી પુષ્કરદ્વીપના બે ખંડ થયા છે.
૨. પુષ્કરદ્વીપના પહેલા અર્ધા ભાગમાં જંબુદ્વીપથી બમણી અર્થાત ધાતકી ખંડની બરાબર સર્વે રચના છે.
(૭) નરલોક (મનુષ્યક્ષેત્ર) જંબુદ્વીપ, ધાતકીખંડ, પુષ્કરાઈ (પુષ્કરદ્વીપનો અર્ધો ભાગ), લવણસમુદ્ર અને કાલોદધિસમુદ્ર- એટલા ક્ષેત્રને નરલોક કહેવાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com