SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુરુષાર્થસિદ્ધિઉપાય | [ ૬૭ આગળ આ કથન સંકોચે છે: अष्टावनिष्टदुस्तरदुरितायतनान्यमूनि परिवर्त्य। जिनधर्मदेशनाया भवन्ति पात्राणि शुद्धधियः।। ७४।। અન્વયાર્થ- [ નિકુસ્તદુરિતાયતનાનિ] દુ:ખદાયક, દુસ્તર અને પાપનું સ્થાન [ અમૂનિ] એવા [ ગ ] આઠ પદાર્થોનો [પરિવર્ષ ] પરિત્યાગ કરીને [ શુદ્ધથિય:] નિર્મળ બુદ્ધિવાળા પુરુષ [ બિનધર્મવેશનાયા: ] જૈનધર્મના ઉપદેશને [પાત્રાળિ] પાત્ર [ મવત્તિ ] થાય છે. ટીકાઃ- “નિષ્ટદુસ્તદુરિતક્રાયતનાનિ મૂનિ પણ પરિવર્ષે શુદ્ધથિય: બિનધર્મવેશનાયા: પાત્રાળ મવત્તિ'- મહાદુઃખદાયક, સહેલાઈથી જેનો પાર પમાતો નથી એવી, મહાપાપના સ્થાનરૂપ જે આ આઠ વસ્તુઓ છે તેને ખાવાથી મહાપાપ ઊપજે છે. તેથી એને સર્વથા છોડીને, નિર્મળ બુદ્ધિવાળા થઈને, જૈનધર્મના ઉપદેશને પાત્ર થવાય છે. પહેલાં એનો ત્યાગ કરે ત્યારપછી અન્ય કોઈ ઉપદેશ દેવો. (અને કોઈ ઉપદેશ આપે) જેમ મૂળ વિના વૃક્ષ હોતું નથી તેમ એના ત્યાગ વિના શ્રાવક હોય નહિ. માટે જ એનું નામ મૂળ છે. ૭૪. હવે આ હિંસાદિકનો ત્યાગ કરવાનું વિધાન કહે છે: कृतकारितानुमननैर्वाक्कायमनोभिरिष्यते नवधा। औत्सर्गिकी निवृत्तिर्विचित्ररूपापवादिकी त्वेषा।। ७५।। અન્વયાર્થ- [ ગૌત્સફી નિવૃત્તિ ] ઉત્સર્ગરૂપ નિવૃત્તિ અર્થાત્ સામાન્ય ત્યાગ [ તારિતાનુમનનૈ:] કૃત, કારિત અને અનુમોદનરૂપ [વ#િાયમનોમિ:] મન, વચન અને કાયાથી [નવધા] નવ પ્રકારે [છુષ્યતે] માનવામાં આવી છે, [1] અને [ષા] આ [આપવાવિવશી] અપવાદરૂપ નિવૃત્તિ [વિવિત્રસૃપા] અનેકરૂપ જે. ટીકા - ‘ગૌસંજીવી નિવૃત્તિ: તવારિતાનુમોદ્ર: વાઘાયમનોમિ: નવધા પુષ્યતે'– આ ઉત્સર્ગરૂપ ત્યાગ કૃત, કારિત અનુમોદન સહિત મન, વચન કાયાના ભેદથી નવપ્રકારે કહીએ છીએ. ‘આપવાવિવી પૂષા વિવિત્રરૂપ'– અને અપવાદરૂપ જે ત્યાગ છે તે જુદા જુદા પ્રકારે ભાવાર્થ:- હિંસાદિનો ત્યાગ બે પ્રકારે છે. એક ઉત્સર્ગ ત્યાગ અને બીજો અપવાદ ત્યાગ. ઉત્સર્ગ એટલે સામાન્ય. સામાન્યપણે સર્વથા પ્રકારે ત્યાગ કરીએ તેને Please inform us of any errors on [email protected]
SR No.008400
Book TitlePurusharth siddhi upay
Original Sutra AuthorAmrutchandracharya
Author
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size923 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy