________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
વિશેષને ન જાણે તો હિંસાનાં ઉદાહરણ અમૃત વચનાદિ કહ્યાં છે. હિંસાનો એક ભેદ અનૃત વચન છે, એક ચોરી છે– એમ ઉદાહરણરૂપે જાણવું. ૪૨.
આગળ હિંસાનું સ્વરૂપ કહે છે
यत्खलुकषाययोगात्प्राणानां व्यभावरुपाणाम्। व्यपरोपणस्य करणं सुनिश्चिता भवति सा हिंसा।। ४३।।
અન્વયાર્થ- [ કાયયોIT ] કપાયરૂપે પરિણમેલા મન, વચન, કાયાના યોગથી [ યા] જે [દ્રવ્યમવરુપાક્] દ્રવ્ય અને ભાવરૂપ બે પ્રકારના [પ્રાણાનાં] પ્રાણોનું [ વ્યારોપણસ્થ રળ] વ્યપરોપણ કરવું-ઘાત કરવો [ સા ] તે [વ7] નિશ્ચયથી [ સુનિશ્ચિત ] સારી રીતે નક્કી કરેલી [ હિંસા ] હિંસા [ મવતિ] છે.
ટીકા:- “bષીયયો ત્ યન્ત દ્રવ્યમવરુપા પ્રાણીનાં વ્યપરોપળચરસી. સુનિશ્વિત હિંસા ભવતિ'– નિશ્ચયથી કપાયરૂપ પરિણમેલા મન, વચન, કાયાના યોગના હેતુથી દ્રવ્યભાવરૂપ બે પ્રકારના પ્રાણોને પીડવા, ઘાતવા તે ખરેખર હિંસા છે.
ભાવાર્થ- પોતાના મનમાં, વચનમાં કે શરીરમાં ક્રોધ કષાય પ્રગટ થયો. તેનાથી પ્રથમ તો પોતાના શુદ્ધોપયોગરૂપ ભાવપ્રાણનો ઘાત થયો. આ હિંસા તો પોતાના ભાવપ્રાણના વ્યપરોપણથી થઈ, તે તો પહેલાં જ થઈ. બીજા હિંસા તો થાય કે ન પણ થાય. પાછળથી કદાચિત્ તીવ્ર કષાયરૂપ થાય અને પોતાના દીર્ઘશ્વાસાદિથી અથવા હાથ-પગવડે પોતાના અંગને પીડા ઉપજાવી અથવા આપઘાત કરી મરી ગયો તે પોતાના દ્રવ્યપ્રાણના ઘાતરૂપ હિંસા થઈ. વળી જે કષાયથી અન્ય જીવને કુવચન કહ્યા, મર્મભેદી હાસ્ય કર્યું અથવા જે રીતે તેનું અંતરંગ પીડિત થઈ કષાયરૂપ પરિણમે તેવું કાર્ય કર્યું, ત્યાં પરના ભાવપ્રાણના વ્યપરોપણથી હિંસા થાય છે. જ્યાં કષાયના વિશે પ્રમાદી થયો, બીજા જીવના શરીરને પીડા કરી અથવા પ્રાણનાશ કર્યા ત્યાં પરના દ્રવ્યપ્રાણના ઘાતથી હિંસા થઈ. આ રીતે હિંસાનું સ્વરૂપ કહ્યું. ૪૩.
આગળ હિંસા અને અહિંસાનું નિશ્ચય લક્ષણવર્ણન કરે છે –
अप्रादुर्भावः खलु रागादीनां भवत्यहिंसेति। तेषामेवोत्पत्तिर्हिसेति जिनागमस्य संक्षेपः।। ४४।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com