________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૪૩
કરવો તેને કાલાચાર કહે છે. ચારે સંધ્યાકાળની છેલ્લી બે ઘડીઓમાં, દિગૂદાહ, ઉલ્કાપાત, વજપાત, ઈન્દ્રધનુષ્ય, સૂર્ય-ચંદ્રગ્રહણ, તોફાન, ભૂકમ્પ, આદિ ઉત્પાતોના કાળે સિદ્ધાન્તગ્રન્થોનું પઠન-પાઠન વર્જિત છે. હાં, સ્તોત્ર-આરાધના, ધર્મકથાદિકના ગ્રંથ વાંચી શકાય છે.)
૫. વિનયાચાર- વળી કેવી રીતે જ્ઞાન આરાધવું? વિનયેન=નમ્રતાયુક્ત થવું, ઉદ્ધત
ન થવું.
૬. ઉપધાનાચાર- વળી કેવું જ્ઞાન આરાધવું? સોપાનં ધારણા સહિત જ્ઞાનને ભૂલવું નહિં; ઉપધાનસહિત ખૂબ જ્ઞાનનું આરાધન કરવું તે છઠું અંગ છે.
૭. બહુમાનાચાર- તથા કેવું છે જ્ઞાન? વહુમાનેન સમન્વિતમજ્ઞાનનો, પુસ્તકશાસ્ત્રનો અથવા શીખવનારનો ખૂબ આદર કરવો-તે સહિત જ્ઞાનનું આરાધન તે સાતમું અંગ
૮. અનિલવાચાર- વળી કેવું જ્ઞાન? “નિયં=જે શાસ્ત્ર તથા ગુરુથી પોતાને જ્ઞાન થયું છે તેને છુપાવવા નહીં. આ આઠ અંગ (સમ્યજ્ઞાનના વિનયન) છે. આ રીતે સમ્યજ્ઞાન અંગીકાર કરવું. ૩૬.
એમ શ્રીમદ્દ અમૃતચંદ્રસૂરિ વિરચિત પુરુષાર્થસિદ્ધિ-ઉપાય જેનું બીજું નામ જિનપ્રવચનરહસ્ય કોષ છે તેમાં સમ્યજ્ઞાન વર્ણન નામનો બીજો અધિકાર.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com