________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
આકુળતાના નિમિત્ત હોવાથી દુઃખરૂપ જ માને છે. વળી અન્યમતી નાના પ્રકારની એકાન્તરૂપ કલ્પના કરે છે તેને ભલા જાણી ચાહતા નથી. ૨૪.
૩. નિર્વિચિકિત્સા અંગ क्षुत्तृष्णाशीतोष्णप्रभृतिषु नानाविधेषु भावेषु।
द्रव्येषु पुरुषादिषु विचिकित्सा नैव करणीया।।२५।। અન્વયાર્થ:- [ સુતૃUTIણીતોમૃતિષ ] ભૂખ, તરસ, ઠંડી, ગરમી વગેરે [નાનાવિશેષ] નાના પ્રકારના [ભાવેy] ભાવોમાં અને [પુરીષાવિષ] વિષ્ટા આદિ [દ્રવ્યy ] પદાર્થોમાં [ વિવિવિત્સા ] ગ્લાનિ [ નૈવ ] ન [ રળીયા] કરવી જોઈએ.
ટીકા:- સુધા, તૃષા, શીત, ઉષ્ણ વગેરે નાના પ્રકારના દુઃખદાયક પર્યાયો અને અપવિત્ર વિષ્ટા આદિ પદાર્થોમાં ગ્લાનિ ન કરવી.
ભાવાર્થવિચિકિત્સા નામ અણગમાનું છે, અથવા ગ્લાનિનું છે. તેનાથી રહિત તે નિર્વિચિકિત્સા. પાપના ઉદયથી દુઃખદાયક ભાવનો સંયોગ થતાં ઉગરૂપ ન થવું, કારણ કે ઉદયાધીન કાર્ય પોતાને વશ નથી. એ દુ:ખથી અમૂર્તિક આત્માનો ઘાત પણ નથી. વળી વિટાદિ નિંદ્ય વસ્તુમાં ગ્લાનિરૂપ ન થવું કારણ કે વસ્તુનો એવો જ સ્વભાવ છે. એમાં આત્માને શું? અથવા જે શરીરમાં આ આત્મા વસે છે તેમાં તો બધી જ વસ્તુ નિંધ છે. ૨૫.
૪ અમૂઢદષ્ટિ અંગ लोके शास्त्राभासे समयाभासे च देवताभासे। नित्यमपि तत्त्वरुचिना कर्तव्यममूढदृष्टित्वम्।। २६ ।।
૧. નિર્વિચિકિત્સા અંગ-રત્નત્રય અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી પવિત્ર પરન્તુ સ્વાભાવિક અપવિત્ર શરીરમાં (મુનિ-ધર્માત્માના મલિન શરીરમાં) ગ્લાનિ-સૂગ ન કરવી પણ તેમના ગુણોમાં પ્રીતિ કરવી તેને નિગુપ્તા અંગ કહે છે ( રત્નશ્રાવ ગા૧૩)
૨. અમૂઢત્વ દુઃખદાયક ખોટા માર્ગો અથવા કુત્સિતધર્મોમાં અને કુમાર્ગોમાં રહેલાં પુરુષોમાં (ભલે તે લૌકિકમાં પ્રખ્યાત હોય) મનથી પ્રામાણિક માને નહી, કાયાથી પ્રશંસા અને વચનથી સ્તુતિ ન કરે તેને અમૂઢદષ્ટિ કહે છે (ગા૧૪).
૩. સમયાભાસ યથાર્થમાં જે પદાર્થ તત્ત્વાર્થ નથી પણ ભ્રમબુદ્ધિથી તેવા દેખાવા લાગે, જેમકે મિથ્યાષ્ટિઓનાં બનાવેલાં શાસ્ત્ર યથાર્થમાં તો શાસ્ત્ર નથી જ પરન્ત ભ્રમથી શાસ્ત્ર જેવાં ભાસે છે તે શાસ્ત્રાભાસ-સમયાભાસ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com