________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકા:- “તત્વવું અનુસરતાં મુનીનાં વૃત્તિઃ મનોવિજવી મવતિ''- આ રત્નત્રયરૂપ પદવી પ્રાપ્ત થયેલા જે મહામુનિઓ છે તેમની રીત લોકરીતિને મળતી આવતી નથી. તે જ કહીએ છીએ. લોકો પાપક્રિયામાં આસક્ત થઈ પ્રવર્તે છે, મુનિ પાપક્રિયાનું ચિંતવન પણ કરતા નથી. લોકો અનેક પ્રકારે શરીરની સંભાળ રાખે, પોષે છે, મુનિ અનેક પ્રકારે શરીરને પરીષહુ ઉપજાવે છે અને પરીષહ સહે છે. વળી લોકોને ઈન્દ્રિયવિષયો બહુ મીઠા લાગે છે, મુનિ વિષયોને હળાહળ ઝેર સમાન જાણે છે.
લોકોને પોતાની પાસે માણસોનો સંગ-સમુદાય ગમે છે. મુનિ બીજાનો પણ સંયોગ થતાં ખેદ માને છે. લોકોને વસ્તી ગમે છે, મુનિને નિર્જન સ્થાન સારું લાગે છે. ક્યાંસુધી કહીએ? મહા મુનીશ્વરોની રીત લોકોની રીતથી ઊલટા રૂપે હોય છે. કેવી છે મુનીશ્વરોની પ્રવૃત્તિ?
રન્વિતાવાર નિત્યનિમિમુરવા'- પાપક્રિયા સહિતના આચારથી પરમુખ છે. જેમ શ્રાવકનો આચાર પાપક્રિયાથી મિશ્રિત છે, તેમ મુનીશ્વરોના આચારમાં પાપનો મેળાપ નથી અથવા કરંબિત એટલે કર્મજનિત ભાવમિશ્રિત જે આચરણ તેમાં પરાફમુખ છે, કેવળ નિજસ્વરૂપને અનુભવે છે તે માટે એકાંત વિરતિરૂપા એટલે સર્વથા પાપક્રિયાના ત્યાગસ્વરૂપ છે અથવા એક નિજસ્વભાવના અનુભવ વડે સર્વથા પારદ્રવ્યોથી ઉદાસીન સ્વરૂપ છે. રત્નત્રયના ધારક મહામુનિઓની એવી પ્રવૃત્તિ છે. ૧૬.
ઉપદેશ દેવાનો દમ
बहुशः समस्तविरतिं प्रदर्शितां यो न जातु गृह्णाति। तस्यैक देशविरति: कथनीयानेन बीजेन।।१७।।
અન્વયાર્થ:- [:] જે જીવ [વધુ:] વારંવાર [પ્રર્શિતi] બતાવેલી [ સમસ્તવિરસિં] સકળ પાપરહિત મુનિવૃત્તિને [નાનુ] કદાચ [ ગૃતિ ] ગ્રહણ ન કરે તો [ ત૨ ] તેને [પ્રવેશવિરતિ ] એકદેશ પાપક્રિયા રહિત ગૃહસ્થાચાર [ સનેન વીનેન ] આ હેતુથી [ 5થનીયા ] સમજાવે અર્થાત્ કહે.
- “ય૩ વદુશ: પ્રવર્શિતાં સમસ્તવિરતિં ન ખાતુ ગૃતિ તસ્ય ઉદ્દેશવિરતિ: 3 નેન વીરેન ગુનીયા''- જે જીવ વારંવાર ઉપદેશ વડે બતાવવામાં આવેલ સકલ પાપરહિત મહાવ્રતની ક્રિયા તેને કદાચ ગ્રહણ ન કરે તો તે જીવને એકદેશ પાપરહિત શ્રાવક-ક્રિયા આ રીતે કહેવી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com