________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
| [ ૨૧
પુરુષાર્થસિદ્ધિનો ઉપાય
विपरीताभिनिवेशं निरस्य सम्यग्व्यवस्य निजतत्त्वम्। यत्तस्मादविचलनं स एव पुरुषार्थसिद्ध्युपायोऽयम्।।१५।।
અન્વયાર્થ:- [ વિપરીતાભિનિવેશ] વિપરીત શ્રદ્ધાનનો [નિરચ] નાશ કરીને [વિનતત્ત્વમ્ ] નિજસ્વરૂપને [ સચ] યથાર્થપણે [ વ્યવસ્થ] જાણીને [૧] જે [તાત્] તે પોતાના સ્વરૂપમાંથી [વિતi] ભ્રષ્ટ ન થવું [ gવ ] તે જ [ ચં] આ [ પુરુષાર્થસિદ્ધક્યુપાય:] પુરુષાર્થસિદ્ધિનો ઉપાય છે.
ટીકાઃ- “ “યવિપરીતામિનિવેશ નિરર્ચ સચવ નિનતત્ત્વ વ્યવચ તત્ તમ્માત વિવનનું સ વ મયં પુરુષાર્થસિદ્ધચુપાય: ''– જે વિપરીત શ્રદ્ધાનનો નાશ કરી યથાર્થપણે નિજસ્વરૂપને જાણે અને તે પોતાના સ્વરૂપમાંથી ભ્રષ્ટ ન થાય તે જ પુરુષાર્થસિદ્ધિ થવાનો ઉપાય છે.
ભાવાર્થ- પૂર્વે જે કહ્યું હતું કે સંસારના બીજભૂત કર્મજનિત પર્યાયને આત્માપણેપોતારૂપે જાણવું તેનું જ નામ વિપરીત શ્રદ્ધાન કહીએ છીએ. તેનો મૂળમાંથી નાશ કરવો તે સમ્યગ્દર્શન છે. કર્મજનિત પર્યાયથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપને યથાર્થપણે જાણવું તે સમ્યજ્ઞાન છે અને કર્મભનિત પર્યાયોથી ઉદાસીન થઈ સ્વરૂપમાં અકંપ-સ્થિર રહેવું તે સમ્યક ચારિત્ર છે. એ ત્રણે ભાવોનો સમૂહું તે જ આ જીવને કાર્ય સિદ્ધ થવાનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય સર્વથા નથી ૧૫.
જે આ ઉપાયમાં લાગે છે તેમનું વર્ણન આગળ કરે છે
अनुसरतां पदमेतत् करम्बिताचारनित्यनिरभिमुखा। एकान्तविरतिरुपा भवति मुनीनामलौकिकी वृत्तिः।।१६।।
અન્વયાર્થ- [પદ્મ અનુસરતાં ] આ રત્નત્રયરૂપ પદવીને અનુસરનાર અર્થાત્ પ્રાપ્ત કરેલ [ મુનીનાં ] મહામુનિઓની [વૃત્તિ: ] વૃત્તિ [ રશ્વિતી વારનિત્યનિરમમુરવા ] પાપક્રિયા મિશ્રિત આચારોથી સર્વથા પરામુખ તથા [gવાન્તવિરતિરુપ] પદ્રવ્યોથી સર્વદા ઉદાસીનરૂપ અને [ મનોવિડી] લોકથી વિલક્ષણ પ્રકારની [ મવતિ] હોય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com