________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૪૯
રાખવી, ૩-આહારની વસ્તુઓ લીલા પાંદડાથી ઢાંકવી, ૪-મુનિ મહારાજને આવવાનો સમય હોય ત્યારે ઘરે ન મળવું અને પ-પોતાને ઘેર મુનિ મહારાજને માટે આહારની વિધિ ન મળી શકવાને કારણે અથવા પોતાના ઘરે ન આવવાને કારણે જો બીજા શ્રાવકને ઘરે મુનિને આહારદાન થાય તો તે શ્રાવકપ્રત્યે દ્વેષ રાખવો-આ પાંચ અતિચાર અતિથિસંવિભાગ શિક્ષાવ્રતના છે. ૧૯૪.
સલ્લેખનાના પાંચ અતિચાર
जीवितमरणाशंसे सुहृदनुरागः सुखानुबन्धश्च । सनिदान: पञ्चैते भवन्ति सल्लेखनाकाले।।१९५।।
અન્વયાર્થ:- [ નીતિનરાશ ] જીવનની આશંસા, મરણની આશંસા, [સુહૃદનુરા+T:] સુહૃદ અર્થાત્ મિત્ર પ્રતિ અનુરાગ, [સુરવાનુવશ્વ:] સુખનો અનુબન્ધ [૨] અને [ નિવારઃ] નિદાન સહિત[] આ [ja] પાંચ અતિચાર [ સન્તવનાવાને ] સમાધિમરણના સમયે [ ભવન્તિ] હોય છે.
ટીકા:- ‘નીવિતાસંસી મરણશંસા સુહૃદનુર : સુથ્વીનુવન્થ: વે સનિીન: તિ પતે. પં સત્તેરવનાને ગતીવીરા: સન્તિા' અર્થ:-૧. સલ્લેખના ધારણ કર્યા પછી જીવવાની ઇચ્છા કરવી, ૨. સલ્લેખના ધારણ કર્યા પછી જો કાંઈ વેદના થતી હોય તો એવી ઇચ્છા કરવી કે હું જલદી મરણ પામું, ૩. પૂર્વના મિત્રોનું સ્મરણ કરવું કે તે સારો મિત્ર હતો, હું તેની સાથે રમતો હતો વગેરે, ૪. પૂર્વે જે શાતાની સામગ્રી ભોગવી હતી તેને યાદ કરવી, તે ભોગ હવે ક્યારે મળશે એવું સ્મરણ કરવું, ૫. આગામી કાળમાં સારા સારા ભોગોની પ્રાપ્તિની ઇચ્છા કરવી. - આ પાંચ સલ્લેખનાના અતિચાર છે.
ભાવાર્થ:- આ રીતે ૧ સમ્યગ્દર્શન, ૫ અણુવ્રત, ૩ ગુણવ્રત, ૪ શિક્ષાવ્રત, અને ૧ સલ્લેખના-એ ચૌદના સિત્તેર અતિચારોનું વર્ણન કરી ચૂક્યા. તેથી નૈષ્ઠિક શ્રાવકે આ બધાનું જ્યાંસુધી બની શકે ત્યાંસુધી યથાશક્તિ અતિચારરહિત પાલન કરવું, તો જ મનુષ્યભવ મળવો સાર્થક છે.
આ ઉપર બતાવેલા ચૌદ વ્રત ત્રણ પ્રકારના શ્રાવક પાળે છે. ૧. પાક્ષિક
૧. નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક પ્રથમના બે કષાયની ચોકડીના અભાવરૂપ શુદ્ધભાવરૂપ (અંશે
વીતરાગી સ્વાશ્રયરૂપ ) નિશ્ચયવ્રતનું પાલન કરે છે તે જીવને સાચાં અણુવ્રત હોય છે; નિશ્ચયસમ્યગ્દર્શન ન હોય તો તેનાં વ્રત-તપને સર્વજ્ઞદવે બાળવ્રત (અજ્ઞાનવ્રત) અને અજ્ઞાનતપ કહ્યાં છે. એમ સર્વત્ર સમજવું.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com