________________
ગાથા ૧૯૯
કરીને ક્યાં રહ્યો. એના અંત લાવવાનો આ એક ઉપાય છે કે જેમાં ભવ અને ભવનો ભાવ જેમાં નથી. આહાહા...! એ રાગ એ ભવનો ભાવ છે, એ મારા સ્વરૂપમાં નથી. આહાહા...! હવે અત્યારે તો એવી માંડે કે આ દયા કરો ને વ્રત કરો ને ભક્તિ કરો, પૂજા કરો, સેવા કરો ને એ કરતા કરતા કલ્યાણ થઈ જશે. અરે! પ્રભુ! એ વસ્તુ ઝેર ને રાગ ને સ્વરૂપમાં નથી એનાથી સ્વરૂપને લાભ થાય? આહાહા...! સમજાણું કાંઈ?
મોટો ફેરફાર થઈ ગયો. દૃષ્ટિનો ફેરફાર મોટો થઈ ગયો. સેવાઓ કરો, દેશસેવા કરો, એકબીજાને મદદ કરો, ભૂખ્યાને અનાજ આપો, તરસ્યાને પાણી આપો. આહા...! આપણા સાધર્મી જીવો છે બધા, માટે મદદ કરો. અહીં કહે છે, કાંઈ નહિ, બાપા! પરવસ્તુનો પ્રભુ! તારામાં અભાવ છે અને તારો તેનામાં અભાવ છે તો તું પરનું શું કરું? આહાહા...! કેમકે એ પરપદાર્થ તેની પર્યાયના કાર્ય વિના તો છે નહિ, તો એની પર્યાયના કાર્ય વિના નથી તો તું તેની પર્યાય શી રીતે કરીશ? આહાહા...! એ અનંતા દ્રવ્યો ભલે હો તારી સામે પણ એ અનંતા દ્રવ્યો તો પોતાની પર્યાયને કરે છે. આહાહા.! એ પરને કાંઈ કરતો નથી. અનંતા પરદ્રવ્ય પરને કાંઈ કરતો નથી, તારું સ્વદ્રવ્ય પરને કરતું નથી. પરના દ્રવ્ય-ગુણને તો નહિ, પર્યાયને પણ કરતું નથી. આહાહા...! આવો હું એક જ્ઞાયક તત્ત્વ છું. કાલે આવ્યું હતું – તત્ત્વથી. ભાષા નહિ, પરમાર્થથી એને અંતરમાં એ વાત બેસવી જોઈએ. તત્ત્વથી. આહાહા...!
એક જ્ઞાયકભાવ ત્રિકાળ તે હું છું. એ દયા, દાનાદિ રાગ આવ્યો છે એ હું નહિ. હું નહિ તો તેનાથી મને લાભ પણ નહિ. આહાહા...! મારો પ્રભુ મારો સ્વભાવ છે. એ સ્વભાવની પરિણતિ દ્વારા મને લાભ થાય. આહાહા.! “(આ રીતે સમ્યગ્દષ્ટિ વિશેષપણે)' એટલે કે પહેલું સામાન્યપણે કહ્યું હતું કે એક આત્મા અને એ સિવાય રાગથી માંડીને બધાનો ત્યાગ છે, એ સામાન્યપણે કહ્યું. હવે એના ભેદ પાડીને આ એક રાગનો ભેદ લીધો. સમજાય છે કાંઈ? પહેલું સામાન્યપણે કહ્યું હતું, એક કોર પ્રભુ આત્મા અને એક કોર રાગાદિ આખી દુનિયા. રાગના વિકલ્પથી માંડીને આખી દુનિયા, બધું તે તારામાં નથી અને તું એમાં નથી. એમ સામાન્યપણે પહેલું કહ્યું હતું. હવે એના ભેદ પાડીને વિશેષપણે સમજાવે છે. એ સમ્યગ્દષ્ટિ વિશેષપણે સ્વને અને પરને જાણે છે).” આહાહા.! અહીં તો ત્યાં સુધી લીધું કે, રાગ છે તેને જાણે છે અને જાણનાર તે હું છું. રાગ જણાય મારામાં તે રાગ હું નહિ. આહાહા...! અને તે રાગ છે માટે અહીં રાગનું જ્ઞાન થાય છે એમેય નહિ. મને મારું જ્ઞાન મને મારાથી સ્વને જાણતાં પરને જાણવું એવું સ્વપપ્રકાશક મારું સત્તાનું સ્વરૂપ છે. એનાથી હું મને જાણું છું. આહાહા...! આવું છે.
“સ્વને અને પરને જાણે છે).' સ્વ એક જ્ઞાયકભાવ અને રાગ અત્યારે લેવો છે, એ પર. એ સ્વ ને પરને જાણે છે. એ અપેક્ષા છે. ખરેખર તો એ રાગ સંબંધીનું જ્ઞાન પોતાથી પોતામાં સ્વપપ્રકાશના સામર્થ્યથી થયેલું છે તેને જાણે છે. અહીં તો રાગને બતાવવો છે