________________
સમયસાર સિદ્ધિ ભાગ-૭
७८
પહેલી સીઢી, ધર્મનું પહેલું પગથિયું (કહે છે). આહાહા..!
એવો જે જીવ તે ખરેખર રાગ નામનું પુદ્ગલકર્મ છે.’ કહે છે. આહાહા..! ‘તેના ઉદયના વિપાકથી...’ સત્તામાં પડ્યું છે એ નહિ, એનો ઉદય આવતા વિપાક થયો એનો પાક આવ્યો. ઉદયથી ઉત્પન્ન થયેલો...’ રાગ. એટલે નિમિત્તને લક્ષે, વશે. જે કર્મનો ઉદય છે તે નિમિત્ત છે, એને લક્ષે, એને વશે, એનાથી નહિ. આહા..! એના લક્ષે અને એના વશે જે કંઈ રાગ થયો.. આહાહા..! છે? ‘વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે,.. જોયું? શું કીધું ઇ? આ તો સિદ્ધાંત છે, આ કાંઈ વાર્તા નથી, પ્રભુ!
અરે..! એણે કોઈ દિ' કર્યું નથી. એને પોતાની દયા આવી નથી. અરે..! હું કાં રખડું છું? કઈ યોનિમાં ક્યાં હું? ક્યાં મારી જાત અને ક્યાં મારા રખડવાના સ્થાન? હૈં? આહાહા..! હું એક આનંદનો બાદશાહ, અનંત ગુણનો ધણી એ આ એકેન્દ્રિય ને બેઇન્દ્રિય ને ત્રણઇન્દ્રિય ને નિગોદમાં રખડે. આહાહા..!
એ જેને કહે છે કે, અંદર ભાન થયું છે કે, હું તો ચૈતન્યસ્વરૂપ આનંદ છું, જ્ઞાયક છું. આવે છે ને? ‘બાળનમાવો. ચોથું (પદ છે). હું તો એક જાણના૨-દેખનાર છું. આહા..! એની સાથે અનંતા ગુણો વણાયેલા છે. જાણવા-દેખવાની સાથે અનંતા અનંતા ગુણો વણાયેલા અવિનાભાવ સાથે પડ્યા છે. આહાહા..! ઝીણી વાત છે, પ્રભુ! આહાહા..! એવો જે હું એમાં આ જે રાગ થયો.. છે? એ મારો સ્વભાવ નથી;..' આહા..! અંદર જરી દયાનો, દાનનો, ભક્તિનો, વ્રતનો, પૂજાનો ભાવ આવ્યો પણ એ રાગ છે. હિંસા, જૂઠું, ચોરી, વિષયનો રાગ તો તીવ્ર છે), એની તો શું વાત કરવી? એ તો ઝેરના પ્યાલા છે. આહાહા..! પણ અહીં તો રાગ દયા, દાન ને વ્રત, ભક્તિનો આવ્યો તો સમ્યગ્દષ્ટિ જીવ, સમ્યક્ નામ સત્ય જેની દૃષ્ટિ, સત્ય સ્વરૂપની દૃષ્ટિ થઈ છે. પૂર્ણાનંદનો નાથ પરમ સ્વભાવ ભાવ પારિણામિક ભાવે જે સહજ સ્વભાવે અનાદિથી છે એ ત્રિકાળ નિરાવરણ છે, ત્રિકાળ અખંડ છે, એક છે, અવિનશ્વર છે. આહાહા..! એવો જે ભગવાનઆત્મા એનો જ્યાં અનુભવ, પ્રતીત થઈ છે એ એમ કહે છે કે, આ રાગ છે એ મારો નહિ. જે ભાવે તીર્થંકગોત્ર બંધાય એ ભાવ પણ મારો નહિ, એ હું નહિ, એમાં હું નહિ, એ મારામાં નહિ. આહાહા..! આટલી શરતુનું સમ્યગ્દર્શન છે. આહાહા..!
દુનિયા તો કયાં કયાં બેઠી છે. આહા..! આ ઓલું છાપામાં આવ્યું છે ને? મોરારજી’ ‘ગંગા’માં વીસ મિનિટ ખુબ નાહ્યા. સ્થિતપ્રજ્ઞ છે એમ લખ્યું છે. અરે..! ભગવાન! બાપુ! સ્થિતપ્રજ્ઞ કોને કહે? જે જ્ઞાન વાસ્તવિક પૂર્ણ સ્વરૂપમાં ઠરે એને સ્થિતપ્રજ્ઞ કહે છે. આહાહા..! એ જીવને રાગ જરી દેખવામાં આવે, પોતાની પર્યાયની નબળાઈથી (થયેલો રાગ) અહીં એમ કહ્યું. કોઈ પાછુ એમ જ લઈ લ્યે કે, કર્મના વિપાકથી આત્મામાં રાગ થયો છે, એના જડનો ઉદય આવ્યો માટે અહીં રાગ થયો છે, એમ નથી. જડને તો ચૈતન્ય કોઈ દિ' અડ્વોય