________________
ગાથા- ર૩પ
૫૩૧
هههههههههههه
( ગાથા૨૩૫)
जो कुणदि वच्छलत्तं तिण्हं साहूण मोक्खमग्गम्हि । सो वच्छलभावजुदो सम्मादिट्ठी मुणेदव्यो।।२३५।। यः करोति वत्सलत्वं त्रयाणां साधूनां मोक्षमार्गे।
स वत्सलभावयुतः सम्यग्दृष्टिातव्यः ।।२३५।। यतो हि सम्यग्दृष्टिः टङ्कोत्कीर्णैकज्ञायकभावमयत्वेन सम्यग्दर्शनज्ञानचारित्राणां स्वस्मादभेदबुद्धया सम्यग्दर्शनान्मार्गवत्सलः, ततोऽस्य मार्गानुपलम्भकृतो नास्ति बन्धः, किन्तु નિર્નવા
હવે વાત્સલ્ય ગુણની ગાથા કહે છે :
જે મોક્ષમાર્ગે “સાધુત્રયનું વત્સલત્વ કરે અહો
ચિમૂર્તિ તે વાત્સલ્યયુત સમકિતદૃષ્ટિ જાણવો. ર૩૫. ગાથાર્થ - [ ] જે ચેતયિતા) [ મોક્ષમા ] મોક્ષમાર્ગમાં રહેલા [ ત્રયા સાધૂનાં ] સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી ત્રણ સાધકો-સાધનો પ્રત્યે (અથવા વ્યવહારે આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ-એ ત્રણ સાધુઓ પ્રત્યે) [ વન– રોતિ ] વાત્સલ્ય કરે છે, સિ: તે [વત્સસમાવયુતઃ ] વત્સલભાવયુક્ત (વત્સલભાવ સહિત) [ સચવૃષ્ટિઃ ] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય: ] જાણવો.
ટીકા - કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રને પોતાથી અભેદબુદ્ધિએ સમ્યપણે દેખતો (અનુભવતો હોવાથી, માર્ગવત્સલ અર્થાત્ મોક્ષમાર્ગ પ્રત્યે અતિ પ્રીતિવાળો છે, તેથી તેને માર્ગની અનુપલબ્ધિથી થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થ :- વત્સલપણું એટલે પ્રીતિભાવ. જે જીવ મોક્ષમાર્ગરૂપી પોતાના સ્વરૂપ પ્રત્યે પ્રીતિવાળો-અનુરાગવાળો હોય તેને માર્ગની અપ્રાપ્તિથી થતો બંધ નથી, કર્મ રસ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા જ છે.
* અનુપલબ્ધિ = પ્રત્યક્ષ ન હોવું તે; અજ્ઞાન; અપ્રાપ્તિ.