SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૧૪ બંધન થાય છે આમાં નથી લીધું. બીજે ઠેકાણે લે. જ્ઞાનીને જેટલે અંશે નબળાઈ છે એટલે અંશે હજી બંધ છે. જઘન્ય જ્ઞાનપણે પરિણમન છે, દૃષ્ટિમાં જઘન્યપણું નથી. દૃષ્ટિમાં તો પૂર્ણાનંદનો નાથ આવે છે પણ પરિણમનમાં જઘન્યતા છે, ઓછપ છે એટલે એને બંધનું કારણ થાય છે. આહાહા.! આસવમાં આવ્યું ને? આસ્રવ (અધિકારની) ૧૭૧ ગાથા. જઘન્ય પરિણમન છે. આહાહા.! અહીં એ વાત નથી લેવી. અહીં તો બંધનું નિમિત્ત થયા વિના કેવળ જ.’ શબ્દ છે. છે? છે, જુઓ સંસ્કૃત. સક્સિર્નરવ રચત’ સંસ્કૃતમાં) છેલ્લો શબ્દ છે. ‘અમૃચંદ્રાચાર્ય. ઓલામાં એમ છે – ‘નિર્નરવ “સત્ વન્ય વ રચન “વ” – “જ” છે. અહીં પણ કહે છે કે, “સન્નિર્નરવ ચા'. નિર્જરા જ છે, નિર્જરા જ છે. આહાહા.! સંસ્કૃતનો છેલ્લો શબ્દ છે. આહાહા.! આ ભગવાનની વાણી છે. સંતો સાક્ષીથી જગતને જાહેર કરે છે. આહાહા...! દિગંબર મુનિઓ... આહાહા! આ કહેવા ટાણે એનો ભાવ કેવો છે ! આહા.! છે ભલે વિકલ્પ. ટીકા તો એની ક્રિયા છે જ નહિ. આહા...! કહે છે કે, વિકલ્પ પ્રત્યે પણ જેને પ્રેમ ઉડી ગયો છે. આહાહા...! રાગનો રાગ નથી, અરાગી એવા ભગવાનનો પ્રેમ છે. આહાહા...! એથી (કહે છે કે, કેવળ જ નિર્જરતો હોવાથી... આહાહા...! કેવળ જ નિર્જરા હોવાથી “ખરેખર) નિર્જ થકો, નિર્જરા જ થાય છે.” જોયું? નિર્જરા જ થાય છે. આહાહા...! ઓલામાં પણ એ છે. નિમિત્ત-મૂત્વા વનમેવ નિર્વીર્યમાળો નિર્વીર્થ: સક્રિર્નરેવ ચા' બેયમાં ‘વ’ શબ્દ છે. આ સંસ્કૃત ટીકા. આવો ઉપદેશ. ઓલું તો એ શસ્ત્ર પડે એ ક્યારે પડશે એ તો સમયનું હશે. આ તો કહે છે કે, જ્યાં અંદરમાં ઘા પડ્યો... આહાહા...! રાગને દેખવાની આં ખ્યું જ્યાં જોવાની બંધ કરી દીધી. આહાહા...! અને ઉઘડેલા જ્ઞાન વડે દ્રવ્યને જોયું. આહાહા...! છે તો એ ઉઘડેલું જ્ઞાન પણ પર્યાય, પણ પર્યાયને જોવાની આંખ બંધ કરીને, પર્યાય વડે દ્રવ્યને જોયું. આહાહા...! તેને તો એકલી નિર્જરા જ છે, કહે છે. વેદન આવ્યું જરી તોપણ નિર્જરા જ છે. આહાહા! સમજાય છે? આ તો વીતરાગી સંતોની વાણી છે. એકલી વીતરાગતા ઘોળી છે. આહા...! ભાવાર્થ – “પદ્રવ્ય ભોગવતાં.” મૂળમાં આવ્યું હતું ખરું ને. ટીકામાં આવ્યું હતું ન? ટીકામાં જ છે ને? “૩૫મુજમાને સતિ દિ પદ્રવ્ય આહા.! (ટીકાનો) પહેલો શબ્દ છે. એ નિમિત્તથી કથન છે. પરદ્રવ્યને તો કોઈ આત્મા અડતોય નથી, અજ્ઞાની કે જ્ઞાની. આહા! પણ એનું લક્ષ ત્યાં જાય છે એટલે પરદ્રવ્યને ભોગવે છે એમ કહેવામાં આવે છે. આહાહા..! પરદ્રવ્ય તરફ લક્ષ જતાં પોતાના ભાવનું વેદન આવે છે તેથી પરદ્રવ્યને ભોગવે છે એમ કહ્યું. આહાહા. બાકી તો પરદ્રવ્યને જોવાની વાતેય બંધ કરી દીધી. બપોરે તો વાત આવી હતી ને? ગાથા બાકી છે ને? પર્યાયનયની આંખ્યું બંધ કરી દઈને. પરને જોવાની આંખ્યુંની વાત જ નહિ. આહાહા...!
SR No.008398
Book TitleSamaysara Siddhi 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2008
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy