SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૯ શ્લોક–૧૫ર રાગ છે, જ્યાં સુધી વીતરાગ ન થાય તો ધર્મીને પણ રાગ આવે છે, પણ રાગ આવ્યો તો કાળા નાગ જેવો દેખાય છે. અરે...! આ ઝેર, આ શું? મારી ચીજ ભિન્ન છે. તો નિજ ચીજની મીઠાશ આગળ રાગની ભાવનાથી મીઠાશથી ભોગ ભોગવતા નથી. આહાહા...! આવો માર્ગ છે. ૧૫ર. ૧૫૧ (શ્લોક પૂરો) થયો ને? ૧૫ર. ©, G O , , ૦ ૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ શ્લોક–૧પર) (શાર્દૂનવિક્રીડિત) कर्तारं स्वफलेन यत्किल बलात्कमैव नो योजयेत कुर्वाणः फललिप्सुरेव हि फलं प्राप्नोति यत्कर्मणः। ज्ञानं संस्तदपास्तरागरचनो नो बध्यते कर्मणा कुर्वाणोऽपि हि कर्म तत्फलपरित्यागैकशीलो मुनिः ।।१५२।। હવે આગળની ગાથાની સૂચના રૂપે કાવ્ય કહે છે - શ્લોકાર્ધ - [ ય વિન વર્ષ વ વર્તાર સ્વરુન વતી નો યોગયેત ] કર્મ જ તેના કર્તાને પોતાના ફળ સાથે બળજરીથી જોડતું નથી કે તું મારા ફળને ભોગવ), [ નિg: ટિ વુર્વાણ: વર્મળ: યત્ છન્ન પ્રાપ્નોતિ ] ફળની ઇચ્છાવાળો જ કર્મ કરતો થકો કર્મના ફળને પામે છે; [ જ્ઞાનં સન્ ] માટે જ્ઞાનરૂપે રહેતો અને [ તત્પ રત-પાવનઃ ] જેણે કર્મ પ્રત્યે રાગની રચના દૂર કરી છે એવો [ મુનિ: ] મુનિ, [ ત-ન-પરિત્યાક-શીત ] કર્મના ફળના પરિત્યાગરૂપ જ જેનો એક સ્વભાવ છે એવો હોવાથી, [ વર્ષ M: કપિ રિ ] કર્મ કરતો છતો પણ [ Mા નો વધ્યતે ] કર્મથી બંધાતો નથી. ભાવાર્થ:- કર્મ તો કર્તાને જબરદસ્તીથી પોતાના ફળ સાથે જોડતું નથી પરંતુ જે કર્મને કરતો થકો તેના ફળની ઇચ્છા કરે તે જ તેનું ફળ પામે છે. માટે જે જ્ઞાનરૂપે વર્તે છે અને રાગ વિના કર્મ કરે છે એવો મુનિ કર્મથી બંધાતો નથી. કારણ કે તેને કર્મના ફળની ઈચ્છા નથી.૧૫ર. * કર્મનું ફળ એટલે (૧) રંજિત પરિણામ, અથવા તો (૨) સુખ તરંજિત પરિણામ) ઉત્પન્ન કરનાર આગામી ભોગો.
SR No.008398
Book TitleSamaysara Siddhi 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2008
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy