________________
શ્લોક-૧૪૮
શ્લોક-૧૪૮
(સ્વાગતા) ज्ञानिनो न हि परिग्रहभावं
कर्म
रागरसरिक्तयैति ।
रङ्गयुक्तिरकषायितवस्त्रेસ્વીñવ દિ વર્જીિતી ।।૧૪૮।।
૩૪૯
હવે આ અર્થના કળશરૂપે તથા આગળના કથનની સૂચનારૂપે શ્લોક કહે છે :શ્લોકાર્થ :- [ રૂદ અષાયિતવસ્ત્રે ] જેમ લોધર, ફટકડી વગેરેથી જે કાયિત કરવામાં ન આવ્યું હોય એવા વસ્ત્રમાં [ રહ્યુત્તિઃ ] રંગનો સંયોગ, [ અસ્વીતા ] વસ્ત્ર વડે અંગીકાર નહિ કરાયો થકો, [ વત્તિ: વ દિ તુતિ ] બહાર જ લોટે છે-અંદર પ્રવેશ કરતો નથી, [ જ્ઞાનિન: રાસરિત્તતયા ર્મ પરિગ્રહમાનં ન હિ વૃત્તિ ] તેમ જ્ઞાની રાગરૂપી રસથી રહિત હોવાથી તેને કર્મ પરિગ્રહપણાને ધારતું નથી.
ભાવાર્થ :- જેમ લોધર, ફટકડી વગેરે લગાડયા વિના વસ્ત્ર પર રંગ ચડતો નથી તેમ રાગભાવ વિના જ્ઞાનીને કર્મના ઉદયનો ભોગ પરિગ્રહપણાને પામતો નથી. ૧૪૮.
પ્રવચન નં. ૨૯૬ ગાથા-૨૧૮, ૨૧૯ શ્લોક-૧૪૮-૧૪૯ મંગળવાર, ભાદરવા સુદ ૬, તા. ૨૮-૦૮-૧૯૭૯
‘સમયસાર’ કળશ ૧૪૮ છે ને? ઉપર આવ્યું એમાં જરી સ્પષ્ટીકરણ કર્યું ને? કે, બંધ ને ઉપભોગના અધ્યવસાય, એમ કહ્યું ને? તો એ સંસારસંબંધી જે નિષ્પ્રયોજન મિથ્યા ધ્યાન, આર્તધ્યાન, રૌદ્રધ્યાન. મચ્છનો દાખલો આપ્યો છે. પેલો મચ્છ, તંદુલ મચ્છનો દાખલો આપ્યો છે. વાત સાચી. મગજમાં હતું, કીધું આ બંધના કારણને સંસાર ને વિષયને કારણો કહ્યા અને ઉપભોગ, શરીર સંબંધીના બંધના કારણમાં ન નાખ્યું. તો એનું કારણ શું? પાછું કહ્યું ખરું કે જે સંસારસંબંધી અધ્યવસાય છે રાગાદિ, મોહ, દ્વેષ. રાગ-દ્વેષ-મોહ કહ્યા છે ને? અને શરીર સંબંધી જે સુખ-દુઃખ છે, બેયમાં રાગ નથી–પ્રેમ નથી અંદર, આત્માના ધર્મની દૃષ્ટિએ. આહાહા..! ચિદાનંદ ભગવાનઆત્મા અંતરમાં જેને રુચ્યો અને પોષાણ થયું