________________
શ્લોક–૧૩૩
ગાથા-૧૯૩
उवभोगमिंदियेहिं
दव्वाणमचेदणाणमिदराणं ।
जं कुणदि सम्मदिट्टी तं सव्वं णिज्जरणिमित्तं । । १९३ ।। उपभोगमिन्द्रियैः द्रव्याणामचेतनानामितरेषाम् ।
यत्करोति सम्यग्दृष्टिः तत्सर्वं निर्जरानिमित्तम् । । १९३ ।। विरागस्योपभोगो निर्जरायै एव । रागादिभावानां सद्भावेन मिथ्याद्दष्टेरचेतनान्यद्रव्योपभोगो बन्धनिमित्तमेव स्यात्। स एव रागादिभावानामभावेन सम्यग्दष्टेर्निर्जरानिमित्तमेव स्यात् । एतेन द्रव्यनिर्जरास्वरूपमावेदितम् ।
હવે દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ કહે છે ઃ
૯
ચેતન અચેતન દ્રવ્યનો ઉપભોગ ઇંદ્રિયો વડે
જે જે કરે સુદૃષ્ટિ તે સૌ નિર્જરાકારણ બને. ૧૯૩.
ગાથાર્થ :- [ સમ્યદ્રષ્ટિ: ] સમ્યગ્દષ્ટિ જીવ [ યત્ ] જે [ રૂન્દ્રિયઃ ] ઇન્દ્રિયો વડે [અચેતનાનામ્] અચેતન તથા [ તરેષામ્] ચેતન [દ્રવ્યાનામ્ ] દ્રવ્યોનો [ ૩૫મોમ્ ] ઉપભોગ [રોતિ] કરે છે [ તત્ સર્વ ] તે સર્વ [ નિર્નાનિમિત્તમ્ ] નિર્જરાનું નિમિત્ત છે.
ટીકા :- વિરાગીનો ઉપભોગ નિર્જરા માટે જ છે (અર્થાત્ નિર્જરાનું કારણ થાય છે). રાગાદિભાવોના સદ્ભાવથી મિથ્યાદૃષ્ટિને અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ બંધનું નિમિત્ત જ થાય છે; તે જ ઉપભોગ), રાગાદિભાવોના અભાવથી સમ્યગ્દષ્ટિને નિર્જાનું નિમિત્ત જ થાય છે. આથી (આ કથનથી) દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ કહ્યું.
ભાવાર્થ :- સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહ્યો છે અને જ્ઞાનીને રાગદ્વેષમોહનો અભાવ કહ્યો છે; માટે સમ્યગ્દષ્ટિ વિરાગી છે. તેને ઇન્દ્રિયો વડે ભોગ હોય તોપણ તેને ભોગની સામગ્રી પ્રત્યે રાગ નથી. તે જાણે છે કે આ ભોગની સામગ્રી) પદ્રવ્ય છે, મારે અને તેને કાંઈ નાતો નથી; કર્મના ઉદયના નિમિત્તથી તેનો અને મારો સંયોગ-વિયોગ છે.” જ્યાં સુધી તેને ચારિત્રમોહનો ઉદય આવીને પીડા કરે છે અને પોતે બળહીન હોવાથી પીડા સહી શકતો નથી ત્યાં સુધી-જેમ રોગી રોગની પીડા સહી શકે નહિ ત્યારે તેનો ઔષધિ આદિ વડે ઈલાજ