________________
૧૫૮
જ્ઞાન તે આત્મા એ તરીકે લીધું.
આત્મા સ્થાયી છે અને આ જ્ઞાન પણ સ્થાયી...' છે. એનો ગુણ, આત્મા જેમ સ્થિર છે, ધ્રુવ છે એમ જ્ઞાનગુણ પણ સ્થાયી, ધ્રુવ છે. આહાહા..! તેથી તે આત્માનું પદ છે. તે એક જ જ્ઞાનીઓ વડે આસ્વાદ લેવા યોગ્ય છે.’ આહાહા..! જ્ઞાનીઓ દ્વારા, ધર્મી દ્વારા આ આત્માનો એક જ સ્વાદ લેવા લાયક છે. આહાહા..! રાગનો સ્વાદ પણ લેવા યોગ્ય નથી. શુભરાગનો (સ્વાદ).
શ્લોક-૧૩૯
સમયસાર સિદ્ધિ ભાગ-૭
(અનુષ્ટુમ્)
एकमेव हि तत्स्वाद्यं विपदामपदं पदम् ।
अपदान्येव भासन्ते पदान्यन्यानि यत्पुरः । ।१३९ ।।
હવે આ અર્થનો કળશરૂપ શ્લોક કહે છે :
શ્લોકાર્થ :- [ તત્ મ્ વ દિ પવમ્ સ્વાદ્ય ] તે એક જ પદ આસ્વાદવાયોગ્ય છે [ વિપવામ્ અપવં ] કે જે વિપત્તિઓનું અપદ છે (અર્થાત્ જેમાં આપદાઓ સ્થાન પામી શકતી નથી) અને [ યત્પુર: ] જેની આગળ [ અન્યાનિ પવનિ ] અન્ય (સર્વ) પદો [ અપવાનિ વ માસì ] અપદ જ ભાસે છે.
ભાવાર્થ :- એક જ્ઞાન જ આત્માનું પદ છે. તેમાં કોઈ પણ આપદા પ્રવેશી શકતી નથી અને તેની આગળ અન્ય સર્વ પદો અપદસ્વરૂપ ભાસે છે (કારણ કે તેઓ આકુળતામય છે આપત્તિરૂપ છે). ૧૩૯.
કળશ-૧૩૯ ઉ૫૨ પ્રવચન
હવે આ અર્થનો કળશરૂપ શ્લોક કહે છે : '
(અનુષ્ટુમ) एकमेव हि तत्स्वाद्यं विपदामपदं पदम् ।
अपदान्येव भासन्ते पदान्यन्यानि यत्पुरः ।।१३९।। જુઓ! આ શ્લોક ‘અમૃતચંદ્રાચાર્ય’નો છે. ‘તે એક જ પદ આસ્વાદવાયોગ્ય છે.' લ્યો,