________________
ગાથા ૧૯
-
(ગાથા૨૦૦)
- एवं च सम्यग्दृष्टिः स्वं जानन् रागं मुञ्चश्च नियमाज्ज्ञानवैराग्यसम्पन्नो भवति.
एवं सम्मद्दिट्टी अप्पाणं मुणदि जाणगसहावं । उदयं कम्मविवागं च मुयदि तच्चं वियाणंतो।।२००।।
एवं सम्यग्दृष्टिः आत्मानं जानाति ज्ञायकस्वभावम् ।
उदयं कर्मविपाकं च मुञ्चति तत्त्वं विजानन्।।२००।। एवं सम्यग्दृष्टि: सामान्येन विशेषेण च परस्वभावेभ्यो भावेभ्यो सर्वेभ्योऽपि विविच्य टङ्कोत्कीर्णैकज्ञायकभावस्वभावमात्मनस्तत्त्वं विजानाति। तथा तत्त्वं विजानंश्च स्वपरभावोपादानापोहननिष्पाद्यं स्वस्य वस्तुत्वं प्रथयन् कर्मोदयविपाकप्रभवान् भावान् सर्वानपि मञ्चति । ततोऽयं नियमात ज्ञानवैराग्यसम्पन्नो भवति।
આ રીતે સમ્યગ્દષ્ટિ પોતાને જાણતો અને રાગને છોડતો થકો નિયમથી જ્ઞાનવૈરાગ્યસંપન્ન હોય છે એમ હવેની ગાથામાં કહે છે :
સુદૃષ્ટિ એ રીત આત્મને જ્ઞાયકસ્વભાવ જ જાણતો,
ને ઉદય કર્મવિપાકરૂપ તે તત્ત્વજ્ઞાયક છોડતો. ૨૦૦. ગાથાર્થ :- [ પર્વ ] આ રીતે [ સષ્ટિ : ] સમ્યગ્દષ્ટિ [ માત્માનં ] આત્માને પોતાને) [ ઝીયસ્વમાવત્ ] જ્ઞાયકસ્વભાવ ( નાનાતિ ] જાણે છે [ ૨ ] અને [ તવં] તત્ત્વને અર્થાત્ યથાર્થ સ્વરૂપને [ વિનાનન્ ] જાણતો થકો [ વિપાવ ] કર્મના વિપાકરૂપ [ ૩ય ] ઉદયને [ મુગ્ધતિ ] છોડે છે.
ટીકા - આ રીતે સમ્યગ્દષ્ટિ સામાન્યપણે અને વિશેષપણે પરભાવસ્વરૂપ સર્વ ભાવોથી વિવેક (ભેદજ્ઞાન, ભિન્નતા) કરીને, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવું જે આત્માનું તત્ત્વ તેને સારી રીતે જાણે છે; અને એ રીતે તત્ત્વને જાણતો, સ્વભાવના ગ્રહણ અને પરભાવના ત્યાગથી નીપજવાયોગ્ય પોતાના વસ્તુત્વને વિસ્તારતો (-પ્રસિદ્ધ કરતો), કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત ભાવોને છોડે છે. તેથી તે (સમ્યગ્દષ્ટિ) નિયમથી જ્ઞાનવૈરાગ્યસંપન્ન હોય છે એમ સિદ્ધ થયું). | ભાવાર્થ - જયારે પોતાને તો જ્ઞાયકભાવરૂપ સુખમય જાણે અને કર્મના ઉદયથી થયેલા ભાવોને આકુળતારૂપ દુઃખમય જાણે ત્યારે જ્ઞાનરૂપ રહેવું અને પરભાવોથી વિરાગતા-એ બને અવશ્ય હોય જ છે. આ વાત પ્રગટ અનુભવગોચર છે. એ (જ્ઞાનવૈરાગ્ય) જ સમ્યગ્દષ્ટિનું ચિલ છે.