________________
કળશ- ૨૧૯
४४७
(શાલિની) रागद्वेषोत्पादकं तत्त्वदृष्ट्या नान्यद्रव्यं वीक्ष्यते किञ्चनापि। सर्व द्रव्योत्पत्तिरन्तश्चकास्ति
व्यक्तात्यन्तं स्वस्वभावेन यस्मात्।।२७-२१९।। ખંડાન્વય સહિત અર્થ :- ભાવાર્થ આમ છે કે, કોઈ એમ માને છે કે જીવનો સ્વભાવ રાગ-દ્વેષરૂપે પરિણમવાનો નથી, પદ્રવ્ય-જ્ઞાનાવરણાદિ કર્મ તથા શરીર-સંસાર-ભોગસામગ્રીબલાત્કારે જીવને રાગદ્વેષરૂપ પરિણમાવે છે. પરંતુ એમ તો નથી, જીવની વિભાવપરિણામશક્તિ જીવમાં છે, તેથી મિથ્યાત્વના ભ્રમરૂપે પરિણમતું થકું રાગદ્વેષરૂપે જીવદ્રવ્ય પોતે પરિણમે છે, પરદ્રવ્યનો કાંઈ સહારો નથી. તે કહે છે-“
વિષ્યન કપિ ચંદ્રવ્ય તત્ત્વ પષોત્પાવ ન વીક્યતે” (
વિશ્વન પિ ચંદ્રવ્ય) આઠ કર્મરૂપ અથવા શરીર, મન, વચન–નોકર્મરૂપ અથવા બાહ્ય ભોગસામગ્રી ઇત્યાદિરૂપ છે જેટલું પારદ્રવ્ય તે, (તત્ત્વયા ) દ્રવ્યનું સ્વરૂપ જોતાં સાચી દૃષ્ટિથી (
૨ષોત્પાદવ) અશુદ્ધ ચેતનારૂપ છે જે રાગ-દ્વેષપરિણામ તેમને ઉપજાવવા સમર્થ (વીક્યતે) જોવામાં આવતું નથી; [કહેલો અર્થ ગાઢો–દઢ કરે છે– “પરમાત્ સર્વદ્રવ્યોત્પત્તિઃ સ્વરમાવેન કાશ્ચારિત' (રમત) કારણ કે (સર્વદ્રવ્ય) જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ અને આકાશના (ઉત્પત્તિ:) અખંડધારારૂપ પરિણામ સ્વસ્વમાન) પોતપોતાના સ્વરૂપે છે, (અન્ત: વરિત) એવું જ અનુભવમાં નિશ્ચિત થાય છે અને એમ જ વસ્તુ સધાય છે, અન્યથા વિપરીત છે, કેવી છે પરિણતિ ? “અત્યન્ત વ્યવI’ અતિશય પ્રગટ છે. ૨૭–૨૧૯.
(શાલિની) रागद्वेषोत्पादकं तत्त्वदृष्ट्या नान्यद्रव्यं वीक्ष्यते किञ्चनापि। सर्वद्रव्योत्पत्तिरन्तश्चकास्ति
व्यक्तात्यन्तं स्वस्वभावेन यस्मात् ।।२७-२१९।। ષ્યિનાપનું પૂછ્યું, પણ ત્યાં “ગ્વિના'નો અર્થ જ છે. કોઈપણ દ્રવ્ય, એમ. કિચન એટલે કાંઈપણ નહિ. એમ નહિ. કોઈપણ દ્રવ્ય એને વિકાર કરાવી શકે એમ છે જ નહિ. આહાહા...! ઓલા કહે કે, વિકારને જો પોતાનો માને તો સ્વસ્વભાવ થઈ જશે.