________________
કળશ- ૨૧૫
૩૬ ૭
વ્યવહાર આવ્યા વિના રહેતો નથી. સમજાવવામાં વ્યવહારથી ભેદ પાડીને સમજાવવું પડે, બીજી તો કોઈ ચીજ નથી. પણ એ વ્યવહાર આદરણીય નથી. આહાહા...! સમજાય છે કાંઈ? “એવો સિદ્ધાંત સિદ્ધ થયો.” લ્યો. હવે ૨૧૫ (શ્લોક). ૨૧૫ છે ને?
(શાર્દૂલવિક્રીડિત) शुद्धद्रव्यनिरूपणार्पितमतेस्तत्त्वं समुत्पश्यतो नैकद्रव्यगतं चकास्ति किमपि द्रव्यान्तरं जातुचित् । ज्ञानं ज्ञेयमवैति यत्तु तदयं शुद्धस्वभावोदयः
किं द्रव्यान्तरचुम्बनाकुलधियस्तत्त्वाच्च्यवन्ते जनाः ।।२३-२१५।। ખંડાન્વય સહિત અર્થ :- “બના: તત્ત્વી વિ વ્યવન્ત' (બના:) નો અર્થાત્ સમસ્ત સંસારી જીવો (તસ્વાત) “જીવવસ્તુ સર્વ કાળ શુદ્ધસ્વરૂપ છે, સમસ્ત શેયને જાણે છે” એવા અનુભવથી (વિઃ વ્યવન્ત) કેમ ભ્રષ્ટ થાય છે ? ભાવાર્થ આમ છે કે-વસ્તુનું સ્વરૂપ તો પ્રગટ છે, ભ્રમ કેમ કરે છે? કેવા છે જનો? “ટ્રવ્યાન્તરવુqનાથિય: (દ્રવ્યાન્તર) “સમસ્ત શેયવસ્તુને જાણે છે જીવ તેથી (ગુન્ડન) અશુદ્ધ થયું છે જીવદ્રવ્ય એવું જાણીને (માનધિય:) શેયવસ્તુનું જાણપણું કઈ રીતે છૂટે કે જેના છૂટવાથી જીવદ્રવ્ય શુદ્ધ થાય એવી થઈ છે બુદ્ધિ જેમની, એવા છે. “તુ તેનું સમાધાન આપે છે કે-“વત્ જ્ઞાનં શેયમ્ તિ તત્ ય શુદ્ધત્વમાવો: (યત) જે એમ છે કે (જ્ઞાને શેયમ અનૈતિ) “જ્ઞાન શેયને જાણે છે એવું પ્રગટ છે (તત્ ચં) તે આ (શુદ્ધસ્વમાવોદય:) શુદ્ધ જીવવસ્તુનું સ્વરૂપ છે. ભાવાર્થ આમ છે કે-જેમ અગ્નિનો દાહકસ્વભાવ છે, સમસ્ત દાહ્યવસ્તુને બાળે છે, બાળતો થકો અગ્નિ પોતાના શુદ્ધસ્વરૂપે છે–અગ્નિનો એવો જ સ્વભાવ છે; તેમ જીવ જ્ઞાનસ્વરૂપ છે, સમસ્ત શેયને જાણે છે, જાણતો થકો પોતાના સ્વરૂપે છે–એવો વસ્તુનો સ્વભાવ છે. શેયના જાણપણાથી જીવને અશુદ્ધપણું માને છે તે ન માનો, જીવ શુદ્ધ છે; વિશેષ સમાધાન કરે છે–] કારણ કે “જિમ પિ દ્રવ્યાન્તરં દ્રવ્યાપ્ત ન વાતિ (વિક્રમ પિ દ્રવ્યાન્તરું) કોઈ શેયરૂપ પગલદ્રવ્ય અથવા ધર્મ, અધર્મ, આકાશ, કાળદ્રવ્ય (દ્રવ્ય) શુદ્ધ જીવવસ્તુમાં (વાત) એકદ્રવ્યરૂપે પરિણમે છે એમ (ન વસ્તિ ) શોભતું નથી. ભાવાર્થ આમ છે કે-જીવ સમસ્ત શેયને જાણે છે, જ્ઞાન જ્ઞાનરૂપ છે, શેયવસ્તુ શેયરૂપ છે; કોઈ દ્રવ્ય પોતાનું દ્રવ્યત્વ છોડીને અન્ય દ્રવ્યરૂપ તો નથી થયું. એવો અનુભવ કોને છે તે કહે છે-“શુદ્ધ વ્યનિપાર્ષિતમને.” (શુદ્ધદ્રવ્ય) સમસ્ત વિકલ્પથી રહિત શુદ્ધ ચેતનામાત્ર જીવવસ્તુના (નિરુપા) પ્રત્યક્ષ અનુભવમાં (કર્ષિત મતે:) સ્થાપ્યું છે બુદ્ધિનું સર્વસ્વ જેણે એવા જીવને. વળી કેવા જીવને ? “તત્ત્વ સમુત્પશ્યત: સત્તામાત્ર શુદ્ધ જીવવસ્તુને પ્રત્યક્ષ આસ્વાદે છે એવા જીવને. ભાવાર્થ આમ