SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ કલશામૃત ભાગ-૬ અંદર છે. આવ્યું? “યમ્ વ્વિમIર: આહાહા.! “કોઈ જીવે બાલ્યાવસ્થામાં કોઈ નગર જોયું હતું...” ભાષા તો ચિન્ચમત્કાર એટલી છે. “જય આ ચિન્ચમત્કાર. આ પહેલા હતું તે જ આ છે, એટલું દૃષ્ટાંત આપીને સિદ્ધ કરવું છે. નહિતર આઝયમ્ વિવાર:. એટલું સિદ્ધ કરવું છે. તેને દૃષ્ટાંત આપીને કહે છે. કોઈ જીવે બાલ્યાવસ્થામાં કોઈ નગર જોયું હતું, કેટલોક કાળ જતાં અને તરુણ-અવસ્થા આવતાં તે જ નગરને જુએ છે, જોતાં એવું જ્ઞાન ઊપજે છે.” જોતાં એવું જ્ઞાન ઊપજે છે કે તે જ આ નગર છે.. આ તે નગર છે, મેં બાલઅવસ્થામાં જોયું હતું તે આ નગર છે. સમજાય છે કાંઈ? આહાહા.! જે નગરને મેં બાલ્યાવસ્થામાં જોયું હતું, બસ આવી છે જે અતીત-અનાગત-વર્તમાન શાશ્વત જ્ઞાનમાત્ર વસ્તુ... આહાહા...! પહેલા જ્યારે હું રાગ કરતો હતો ત્યારે પણ આ આત્મા હતો, રાગરહિત થયો તે પણ હું જ આત્મા છું. તે આ છે, આ છે, આ છે, એવો ચિલ્ચમત્કાર, ચૈતન્યનો ચમત્કાર પર્યાયમાં અનુભવમાં આવ્યો. એ કહે છે, જુઓ! શું કહે છે? તચ વિમોë પતિ', “તચ વિમોë પતિ. “ક્ષણિકવાદીના મિથ્યાત્વને દૂર કરે છે. આહાહા.! સમજાય છે કાંઈ? વસ્તુ ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ અંદર છે પણ પર્યાયમાં, રાગમાં અનાદિકાળથી બુદ્ધિ છે. જૈન સાધુ થયો, પંચ મહાવ્રતધારી (થયો) પણ ક્ષણિકબુદ્ધિમાં, પર્યાયબુદ્ધિમાં રહ્યો. અનંતવાર થયો. “મુનિવ્રત ધાર અનંત ઐર રૈવેયક ઊપજાયો’ પણ એ બધું પર્યાયબુદ્ધિમાં હતું, તેને દ્રવ્યબુદ્ધિ આવી નહિ. આહાહા...! “આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયા” એમાં આવે છે ને? એનો અર્થ એ કે, પંચ મહાવ્રત આદિ બધું દુઃખરૂપ છે. “મુનિવ્રત ધાર અનંત ઐર રૈવેયક ઊપજાયો પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો” નિત્ય ઉપર દૃષ્ટિ પડ્યા વિના આનંદ આવ્યો નહિ. સમજાય છે કાંઈ? એ પર્યાય ઉપર દૃષ્ટિ રાખીને પંચ મહાવ્રત શું હજારો રાણી છોડી, ત્યાગી થયો, જંગલમાં મુનિ થયો પણ એ ક્ષણિક પર્યાયથી છૂટી અંદર નિત્યાનંદ પ્રભુ ચિન્ચમત્કાર છે તેની દૃષ્ટિ થઈ નહિ. સમજાય છે કાંઈ? આહાહા...! “શ્રીમદ્દ ૨૪ વર્ષે કહે છે ને? “શ્રીમદ્દા. “થમ નિયમ સંયમ આપ કિયો, પુનિ ત્યાગ વૈરાગ્ય અથાગ લહ્યો, વનવાસ રહ્યો મુખ મૌન રહ્યો, દઢ આસન પધ લગાય દિયો. મન પૌન નિરોધ સ્વબોધ કિયો, હઠ યોગ પ્રયોગ સુતાર ભયો, જપ જપે તપ ત્યોંહિ તપે, ઉરસે હી ઉદાસી લહી સબપે, સબ શાસ્ત્રન કે નયે ધારી હિયે, મત મંડન ખંડન ભેદ લિયે, વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો.” યમ-નિયમ, યમ નામ પંચ મહાવ્રત, નિયમ નામ અભિગ્રહ. એવા અભિગ્રહ ધારણ કર્યા કે, હું ભિક્ષા લેવા જાઉં તો... સમજાયું? મોતી, એ બાઈએ મોતીનું શું કહેવાય? સાડલો. સાડલાને શું કહેવાય? સાડી. મોતીની સાડી હોય, મોતી અંદર હોય અને મોતીચુરના લાડવો ખાતી હોય. હં? મોતી એનું નામ હોય,
SR No.008393
Book TitleKalashamrut 6
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2008
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy