________________
શુદ્ધોપયોગ સમયે બાહ્ય કોઈ વિષય તેના : સમજવી અત્યંત જરૂરી છે. તે ન સમજાય તો જ્ઞાનમાં જણાતા નથી, તેથી તેનું દુર્લક્ષ છે એમ · ફુદડીવાદ માનવાનું મન થઈ જાય.
કહેવામાં આવે છે. મુનિદશામાં દેહનો નિષેધ નથી. તેથી દેહ સાથેનો જીવનો સંબંધ અવશ્ય છે પરંતુ નિર્વિકલ્પ દશા સમયે દેહની હાજરીની નોંધ લેવામાં આવતી નથી. તેથી તેટલા કાળ પુરતો દેહનો પરિગ્રહ નથી એવો ભાવ આપણા ખ્યાલમાં લેવો. આ વાત આપણા ખ્યાલમાં બરોબર રહેવી જરૂરી છે.
મુનિને ઉપાત્ત દેહ, સંયોગરૂપે હોય છે અને તેનો નિષેધ નથી એ વાસ્તવિકતા છે. સવિકલ્પ કે નિર્વિકલ્પ દશા સમયે તેમાં કોઈ ફેર પડતો નથી. સવિકલ્પ દશા સમયે મુનિને આ દેહ પણ પરિગ્રહરૂપ લાગે છે. બોજારૂપ લાગે છે માટે તેની તેને ઉપેક્ષા છે. નિર્વિકલ્પ દશા સમયે તો તેને શરીર પ્રત્યે લક્ષ જ નથી. પરંતુ સવિકલ્પ દશા સમયે શરીર ત૨ફ લક્ષ જાય ત્યારે પણ તેને અણગમતા પરિગ્રહરૂપે જ લક્ષગત થાય છે. તેથી તેની ઉપેક્ષા વર્તે છે.
:
જેનો નિષેધ નથી એવા શરીરને શ્રામણ્યમાં સહકારી કારણ ગણવામાં આવ્યું છે. સ્વભાવના આશ્રર્ય, શુદ્ધ સ્વભાવને અનુસરીને તેવા પ્રકારની શુદ્ધતા પર્યાયમાં પ્રગટ કરવી એ સાચું શ્રામણ્ય છે. શ્રામણ્ય માટે બીજો શબ્દ એ મુનિપણું છે. મુનિને યોગ્ય એવા મૂળગુણના પાલનરૂપ શુભ ભાવો અને તે ભાવ અનુસાર જે બાહ્ય આચરણ છે તેને લક્ષમાં રાખીને અહીં સહકારી કારણરૂપે અનિષિદ્ધ પરિગ્રહની વાત લીધી છે. લક્ષમાં રહે કે સહકારી કારણમાં સહકાર તો માત્ર શુભભાવ સાથે છે અર્થાત્ શુભ ભાવની સાથે તેને મેળ વિશેષ છે. તેને શુદ્ધતા સાથે મેળવિશેષનો પ્રશ્ન નથી પરંતુ મુનિદશા યોગ્ય શુદ્ધતા હોય છે ત્યારે શરીર વગેરે સંયોગરૂપ અવશ્ય હોય છે, ઉપયોગાત્મકપણે
ઉત્સર્ગને વસ્તુધર્મ કહ્યો અને અપવાદ એ
પોતાનો આત્મા છે માટે તે સમયે અન્ય એવા : વસ્તુધર્મ નથી એમ કહ્યું. ત્યાં વસ્તુધર્મ એટલે
શરીરાદિ પ્રત્યે લક્ષ નથી છતાં ત્યાં શ૨ી૨ વિદ્યમાન અવશ્ય છે.
ટીકામાં શ૨ી૨ને શ્રામણ્યના સહકારી ં કારણપણે દર્શાવ્યું છે. તે સહકારી હોવાથી તેનો નિષેધ નથી એમ પણ કહ્યું છે. છતાં તે દેહને પણ: પરિગ્રહ કહ્યો છે. તે દેહને ‘‘ઉપાત્ત દેહ’' શબ્દથી : ઓળખાવ્યો છે. એવો દેહ પણ પરિગ્રહ હોવાથી ં ઉપેક્ષા કરવા યોગ્ય છે. જિનાગમમાં હા અને ના છે. અન્ય સંયોગો તો પાછળથી મેળવવા પડે છે એમ બન્ને પ્રકારના કથનો આવે છે. ત્યાં અપેક્ષા : માટે તેને અપ્રાપ્ત અર્થાત્ અનુપાત્ત કહ્યા છે.
મુનિદશાને યોગ્ય આચરણરૂપ ધર્મ. વસ્તુધર્મ એટલે તેના અનંત ગુણોની વાત લેવી નથી. વસ્તુ ધર્મ એટલે મુનિધર્મ. સવિકલ્પ દશા બંધનું કારણ છે તે સાક્ષાત્ મુક્તિનું કારણ નથી. માટે અપવાદનો નિષેધ કરી ઉત્સર્ગરૂપનું આચરણ કરવા યોગ્ય છે. એ પ્રકારનો ઉપદેશ આ ગાથામાં આચાર્યદેવ આપે છે. શરીર સહજપણે પ્રાપ્ત છે માટે તેને ઉપાત્ત કહ્યું
૪૮
ચરણાનુયોગસૂચક ચૂલિકા
ભગવંતોએ શરી૨ પ્રત્યે અપ્રતિકર્મપણું ઉપદેશ્યું છે. શરીરની ઉપેક્ષા હોય ત્યાં અપ્રતિકર્મપણું ખ્યાલમાં આવી જાય છે. અપ્રતિકર્મપણું એટલે સંસ્કા૨હિતપણું તેનું વર્ણન વિશેષરૂપે પછીની ગાથાઓમાં લેવામાં આવશે. અહીં તો એવો ભાવ દર્શાવવો છે કે જેને અર્થાત્ શ૨ી૨ને જે પરિગ્રહ માનીને તેની ઉપેક્ષા કરે છે તે અન્ય પરિગ્રહને તો ગ્રહણ ન જ કરે. આ રીતે અનિષિદ્ધ અને નિષિદ્ધ બધા પરિગ્રહોના ત્યાગરૂપ ઉત્સર્ગ જ ગ્રહણ કરવા યોગ્ય છે એવું દર્શાવવા માગે છે.
:
: