________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિશ્ચય અને વ્યવહાર
ગુમાનીરામ - પિતાજી, કાલે આપે કહ્યું હતું કે રત્નત્રય જ દુઃખથી છૂટવાનો
માર્ગ (મોક્ષમાર્ગ) છે. મોક્ષમાર્ગ તો બે છે ને? નિશ્ચય મોક્ષમાર્ગ
અને વ્યવહાર મોક્ષમાર્ગ. પં. ટોડરમલજી - ના બેટા, મોક્ષમાર્ગ બે નથી, મોક્ષમાર્ગનું કથન (વર્ણન) બે
પ્રકારે છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ કહેવામાં આવે તે નિશ્ચય મોક્ષમાર્ગ છે અને જે મોક્ષમાર્ગ તો છે નહિ, પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત અને સહચારી છે, તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહેવામાં આવે, તે વ્યવહાર મોક્ષમાર્ગ છે. કેમકે નિશ્ચય અને વ્યવહારનું સર્વત્ર એ જ લક્ષણ છે :
“સાચા નિરૂપણને નિશ્ચય કહે છે અને ઉપચરિત નિરૂપણને વ્યવહાર.
સમયસારમાં કહ્યું છે કે- વ્યવહાર અભૂતાર્થ (અસત્યાર્થ) છે, કેમકે તે સત્ય સ્વરૂપનું નિરૂપણ કરતો નથી. નિશ્ચય ભૂતાર્થ
(સત્યાર્થ) છે, કેમ કે તે વસ્તુ સ્વરૂપનું સાચું નિરૂપણ કરે છે. ગુમાનીરામ - તો એમ જાણું છું કે સિદ્ધ સમાન શુદ્ધ આત્માનો અનુભવ
કરવો તે નિશ્ચય છે અને વ્રત-શીલ-સંયમાદિ પ્રવૃત્તિ તે વ્યવહાર
છે..
૫. ટોડરમલજી – એ બરાબર નથી, કેમકે “કોઈ દ્રવ્યભાવનું નામ નિશ્ચય અને
કોઈનું નામ વ્યવહાર” એમ નથી, પણ “એક જ દ્રવ્યના ભાવને તે જ સ્વરૂપે વર્ણવવો તે નિશ્ચયનય છે અને તે દ્રવ્યના ભાવને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com