SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુમાનીરામ ઉપચારથી અન્ય દ્રવ્યના ભાવસ્વરૂપ વર્ણવવો તે વ્યવહાર છે.” જેમ-માટીના ઘડાને માટીનો કહેવો તે નિશ્ચય અને ઘીનો સંયોગ જોઈને ઉપચારથી તેને ઘીનો ઘડો કહેવો તે વ્યવહાર છે. –સમયસારમાં તો શુદ્ધાત્માના અનુભવને નિશ્ચય અને વ્રત, શીલ, સંયમાદિને વ્યવહાર કહેલ છે. પં. ટોડરમલજી – શુદ્ધાત્માનો અનુભવ સાચો મોક્ષમાર્ગ છે, તેથી તેને નિશ્ચય મોક્ષમાર્ગ કહ્યો છે; તથા વ્રત તપ આદિ મોક્ષમાર્ગ નથી, તેને નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે; તેથી તેને વ્યવહાર મોક્ષમાર્ગ કહે છે. માટે નિશ્ચયનયથી જે નિરૂપણ કર્યું હોય તેને સાચું (સત્યાર્થ ) માની તેનું શ્રદ્ધાન કરવું અને વ્યવહારનયથી જે નિરૂપણ કર્યું હોય તેને અસત્ય (અસત્યાર્થ ) માની તેનું શ્રદ્ધાન છોડવું. – શ્રદ્વાન તો નિશ્ચયનું રાખીએ અને પ્રવૃત્તિ વ્યવહારરૂપ. ગુમાનીરામ પં. ટોડરમલજી –ના બેટા, નિશ્ચયનું નિશ્ચયરૂપ અને વ્યવહારનું વ્યવહારરૂપ શ્રદ્ધાન રાખવું જોઈએ. અને પ્રવૃત્તિમાં તો નયનું પ્રયોજન જ નથી. પ્રવૃત્તિ તો દ્રવ્યની પરિણતિ છે. જે દ્રવ્યની જે પરિણતિ હોય તેને તેની જ કહેનાર નિશ્ચયનય છે અને તેને જ અન્ય દ્રવ્યની કહેનાર વ્યવહા૨નય છે. માટે એમ શ્રદ્ધાન કરવું કે નિશ્ચયનયનું કથન સત્યાર્થ છે અને વ્યવહારનયનું કથન ઉપરિત હોવાથી અસત્યાર્થ છે. – આપે એમ કેમ કહ્યું કે નિશ્ચયનયનું શ્રદ્ધાન કરવું અને વ્યવહારનયનું શ્રદ્ધાન છોડવું ? ગુમાનીરામ પં. ટોડરમલજી – સાંભળો, વ્યવહારનય સ્વદ્રવ્ય-પદ્રવ્યને તથા તેના ભાવોને અને કારણ-કાર્યાદિને કોઈને કોઈમાં મેળવીને નિરૂપણ કરે છે, આ જાતના શ્રદ્ધાનથી મિથ્યાત્વ થાય છે, માટે વ્યવહારનય ત્યાગ કરવા ૩૭ Please inform us of any errors on [email protected]
SR No.008326
Book TitleVitrag Vigyana Pathmala 3
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year1986
Total Pages55
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size617 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy