________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
તેમનું મૃત્યુ ૨૭-૨૮ વર્ષની નાની ઉમરમાં સામાજિક વિષને કારણે થયું.
તેમના વિષયમાં સં. ૧૮૨૧માં પં. રાજમલજી લખે છે- “આવી મહાન બુદ્ધિના ધારક પુરુષ આ કાળે હોવા દુર્લભ છે, તેથી તેમને મળવાથી સર્વ સદેહ દૂર થાય
છે.”
તેમની કુલ દસ રચનાઓ પ્રાપ્ત છે. જેમાં ગદ્ય અને પદ્ય બન્ને પ્રકારની છે. ગદ્યમાં કેટલીક તો ટીકાઓ અને કેટલીક સ્વતંત્ર રચનાઓ છે. (૧) ગોમટસાર જીવકાંડ ટીકા (૨) ગોમ્મસાર કર્મકાંડ ,, (૩) લબ્ધિસાર-ક્ષપણાસાર , (૪) ત્રિલોકસાર (૫) આત્માનુશાસન , (૬) પુરુષાર્થસિદ્ધિયુપાય (૭) અર્થ સંદષ્ટિ વિચાર (મૌલિક) (૮) મોક્ષમાર્ગ પ્રકાશક (મૌલિક ) (૯) રહસ્યપૂર્ણ ચિઠ્ઠી (મૌલિક) (૧૦) ગોમ્મદસાર પૂજા સંસ્કૃત (મૌલિક)
તેમની ગદ્ય શૈલી પરિમાર્જિત, પ્રાઢ અને સહજ બોધગમ્ય છે. ભાષા ઉપર તેમનો અસાધારણ કાબુ હતો. તેઓ હિન્દીની સાથો-સાથ પ્રાકૃત અને સંસ્કૃતના પણ મહાન વિદ્વાન હતા.
પ્રસ્તુત ભાગ મોક્ષમાર્ગ પ્રકાશકનાં સાતમા અધ્યાયના આધારે લખવામાં આવ્યો છે.
૩૫ Please inform us of any errors on rajesh@AtmaDharma.com