________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પં. આશાધરજીએ તેમને “ઠક્કુર” શબ્દથી સંબોધિત કર્યા છે, તેથી જણાય છે. કે તેઓ કોઈ ઉચ્ચ ક્ષત્રિય કુળ સાથે સંબંધ ધરાવતા હોવા જોઈએ.
તેમનો સંસ્કૃત ભાષા ઉપર અપૂર્વ અધિકાર હતો. તેમની ગદ્ય અને પદ્ય બને પ્રકારની રચનાઓમાં તેમની ભાષા ભાવને અનુસરતી અને સહજ બોધગમ્ય, માધુર્ય ગુણથી યુક્ત છે. તેઓ આત્મસમાં નિમગ્ન રહેનાર મહાત્મા હતા, તેથી તેમની રચનાઓ અધ્યાત્મ-રસથી ભરપૂર છે.
તેમના બધા ગ્રંથ સંસ્કૃત ભાષામાં છે. તેમની રચનાઓ ગદ્ય અને પદ્ય બન્ને પ્રકારની મળે છે. ગદ્ય રચનાઓમાં આચાર્ય કુન્દ્રકુન્દના મહાન ગ્રંથો ઉપર લખેલી ટીકાઓ છે.
૧. સમયસાર ટીકા - જે “આત્મખ્યાતિ” નામથી જાણીતી છે. ૨. પ્રવચનસાર ટીકા - જેને “તાત્પર્યદીપિકા કહે છે. ૩. પંચાસ્તિકાય ટીકા - જેનું નામ “સમય વ્યાખ્યા” છે. ૪. તત્ત્વાર્થસાર - આ ગ્રંથ ગૃદ્ધપિચ્છ ઉમાસ્વામીના ગદ્યસૂત્રોનો એક રીતે
પદ્યાનુવાદ છે. ૫. પુરુષાર્થસિદ્ધિયુપાય - ગૃહસ્થ ધર્મ પર તેમનો મૌલિક ગ્રંથ છે. એમાં
હિંસા અને અહિંસાનું ઘણું જ સારભૂત વિવેચન કરવામાં આવ્યું છે. પ્રસ્તુત ભાગ તેમના ગ્રંથ પુરુષાર્થસિદ્ધયુપાયના આધારે લખ્યો છે.
૨૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com