________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મુક્તિનો માર્ગ
પ્રવચનકાર- એ તો સર્વમાન્ય અને સર્વનું અનુભવેલું સત્ય છે કે સંસારમાં બધાં પ્રાણી દુઃખી છે અને બધાં દુ:ખમાંથી મુક્તિ ચાહે છે, તેના માટે પ્રયત્ન પણ કરે છે. પણ તે મુક્તિના સાચા માર્ગનો પત્તો ન હોવાથી તેમનો કરેલો બધો જ પ્રયત્ન નકામો જાય છે. તેથી મૂળભૂત પ્રશ્ન તો એ છે કે વાસ્તવિક મુક્તિનો માર્ગ શું છે?
મુક્તિનો માર્ગ શું છે? આ પ્રશ્ન પહેલાં વાસ્તવિક મુક્તિ શું છે એ સમસ્યાનો ઉકેલ મેળવવો જરૂરી છે. મુક્તિનો અર્થ દુઃખોથી સમ્પૂર્ણપણે છૂટકારો થવો એ છે. દુઃખ આકુળતારૂપ છે, તેથી મુક્તિ પૂર્ણ નિરાકુળ હોવી જોઈએ. જ્યાં પંચમાત્ર પણ આકુળતા રહે તે પરિપૂર્ણ સુખ નથી અર્થાત્ મુક્તિ નથી.
મુક્તિનો માર્ગ શું છે? એનું નિરૂપણ કરતાં આચાર્ય અમૃતચંદ્ર લખે છે -
एवं सम्यग्दर्शन बोध चरित्रत्रयात्मको नित्यम् ।
तस्यापि मोक्षमार्गो भवति निषेव्यो यथाशक्ति ।।२०।।
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણેની એકતા જ મોક્ષમાર્ગ છે. પ્રત્યેક જીવે એનું સેવન યથાશક્તિ કરવું જોઈએ.
તેથી એ તો નક્કી થયું કે સમ્યગ્દર્શન અર્થાત્ સાચી શ્રદ્ધા, સમ્યજ્ઞાન અર્થાત્ સાચું જ્ઞાન અને સમ્યક્ચારિત્ર અર્થાત્ સાચું ચારિત્ર-એ ત્રણેની એકતા જ સાચો મોક્ષનો માર્ગ છે. પણ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર શું છે?
૨૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com