SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ‘હું’ નો વાચ્યાર્થ ‘આત્મા’ તો અનાદિ અનંત અવિનાશી ત્રૈકાલિક તત્ત્વ છે. જ્યાં સુધી તે જ્ઞાનસ્વભાવી અવિનાશી ધ્રુવતત્ત્વમાં અહંબુદ્ધિ (તે જ હું છું એવી માન્યતા ) થતી નથી ત્યાં સુધી ‘હું કોણ છું’ એ પ્રશ્ન પણ અનુત્તર જ રહેશે. ‘હું’ દ્વારા જે આત્માનું કથન કરવામાં આવે છે, તે આત્મા અંતરસન્મુખ દષ્ટિનો વિષય છે, અનુભવગમ્ય છે, બહિર્લક્ષી દોડ-ધામથી તે પ્રાપ્ત કરી શકાતો નથી. તે સ્વસંવેધ તત્ત્વ છે, તેથી તેને મનના વિકલ્પોમાં બાંધી શકાતો નથી. તેને ઈન્દ્રિયો દ્વારા પણ પ્રાપ્ત કરી શકાતો નથી. કેમકે ઈન્દ્રિયો તો માત્ર સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળા જડતત્ત્વને જ જાણવામાં નિમિત્ત માત્ર છે. તે ઇન્દ્રિયો અરસ, અરૂપી આત્માને જાણવામાં એક રીતે નિમિત્ત પણ થઈ શકતી નથી. આ અનુભવગમ્ય આત્મવસ્તુ જ્ઞાનનો ઘનપિંડ અને આનંદનો કંદ છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને મોહ-રાગ-દ્વેષ આદિ સર્વ પરભાવોથી ભિન્ન, સર્વાંગ પરિપૂર્ણ શુદ્ધ છે. સમસ્ત પરભાવોથી ભિન્નતા અને જ્ઞાનાદિમય ભાવોથી અભિન્નતા જ એની શુદ્ધતા છે. એ એક છે, અનંત ગુણોની અખંડતા જ એની એકતા છે. એવો આ આત્મા માત્ર આત્મા છે, બીજું કાંઈ નથી એટલે કે ‘હું' હું જ છું, બીજું કાંઈ નહિ. ‘હું’ હું જ છું અને મારામાં જ સર્વસ્વ છું. પરને આપવા જેવું મારામાં કાંઈ નથી અને મારામાં પિરપૂર્ણ હોવાથી પરના સહયોગની મને કાંઈ જરૂર નથી. આ આત્મા વાણી-વિલાસ કે શબ્દજાલથી ૫૨ છે, માત્ર અનુભવગમ્ય છે. આત્માનુભવને પ્રાપ્ત કરવાનો પ્રારંભિક ઉપાય તત્ત્વનો વિચાર છે પણ તે આત્માનુભવ આત્મતત્ત્વ સંબંધી વિકલ્પનો પણ અભાવ કરીને પ્રકટ થનારી સ્થિતિ છે. ‘હું કોણ છું' એ જાણવાની વસ્તુ છે, એ અનુભૂતિ દ્વારા પ્રાપ્ત થનારું સમાધાન છે. એ વાણીથી વ્યક્ત કરવાની અને લેખિનીથી લખવાની વસ્તુ નથી. વાણી અને લેખિનીની આ વિષયમાં માત્ર એટલી જ ઉપયોગિતા છે કે એ તેની તરફ સંકેત કરી શકે છે, એ દિશાનું સૂચન કરી શકે છે, દશા લાવી શકતી નથી. પ્રશ્ન ૧. ‘હું કોણ છું’ –આ વિષય ઉપર તમારી ભાષામાં એક નિબંધ લખો. ૨૦ Please inform us of any errors on [email protected]
SR No.008326
Book TitleVitrag Vigyana Pathmala 3
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year1986
Total Pages55
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size617 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy