________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ ૬
જ્ઞાની શ્રાવકનાં
બા૨વત (પંચમ ગુણસ્થાનવર્તી)
જેને નિશ્ચય (સાચું) સમ્યગ્દર્શન પ્રગટ થઈ ગયું છે, તેને જ જ્ઞાની કહે છે. એવા જ્ઞાની જીવ જ્યારે અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયના અભાવમાં પોતાની દેશચારિત્ર-સ્વરૂપ આત્મશુદ્ધિ પ્રગટ કરે છે ત્યારે તે વ્રતી શ્રાવક કહેવાય છે.
જે આત્મશુદ્ધિ પ્રગટ થઈ, તેને નિશ્ચયવ્રત કહે છે અને તે આત્મશુદ્ધિના સદ્ભાવમાં જે હિંસાદિ પાંચ પાપોનો ત્યાગ તથા અહિંસાદિ પાંચ અણુવ્રત આદિ ધારણ કરવા રૂપ શુભ ભાવ હોય છે, તેનો વ્યવહારદ્રત કહે છે. આ જાતના શુભ ભાવ જ્ઞાની શ્રાવકને સહજપણે પ્રગટ થાય છે.
એ વ્રત બાર પ્રકારના હોય છે. તેમાં હિંસાદિ પાંચ પાપોના એકદેશ ત્યાગરૂપ પાંચ અણુવ્રત હોય છે. આ અણુવ્રતોના રક્ષણ અને તેમાં અભિવૃદ્ધિરૂપ ત્રણ ગુણવ્રત તથા મહાવ્રતોના અભ્યાસરૂપ ચાર શિક્ષાવ્રત હોય છે :
૨૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com