________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ ૫
હું કોણ છું?
“હું” શબ્દનો ઉપયોગ આપણે દરરોજ કેટલીયે વાર કરીએ છીએ પણ ઊંડાણથી કદી એ વિચારવાનો પ્રયત્ન નથી કરતા કે “હું” નો ખરો અર્થ શું છે? હું” નો અસલી વાચ્યાર્થ શું છે? “હું” શબ્દ કઈ વસ્તુનો વાચક છે?
સામાન્ય રીતે વિચારીને તમે કહી શકો કે એમાં ઊંડાણથી વિચારવા જેવી વાત જ શી છે? શું અમે એટલું પણ નહિ સમજતા હોઈએ કે “હું કોણ છું? અને તમે જવાબ પણ આપી શકો છો કે “હું બાળક છું અથવા યુવાન છું, હું પુરુષ છું અથવા સ્ત્રી છું, હું પંડિત છું અથવા શેઠ છું.” પણ મારો પ્રશ્ન તો એ છે, શું તમે એ સિવાય બીજું કાંઈ નથી? એ બધી તો બહારથી દેખાતી સંયોગી પર્યાય માત્ર છે.
મારું કહેવાનું એમ છે કે જો તમે બાળક છો, તો બાળકપણું તો એક દિવસ સમાપ્ત થઈ જવાનું છે અને છતાં તમે તો રહેશો, માટે તમે બાળક ન હોઈ શકો. એવી જ રીતે યુવાન પણ ન હોઈ શકો. કેમકે બાળકપણું અને યુવાની એ તો શરીરના ધર્મો છે તથા “હું” શબ્દ શરીરનો વાચક નથી. મને વિશ્વાસ છે કે તમે પણ તમને પોતાને શરીર નહિ માનતા હો.
એવી જ રીતે તમે શેઠ તો ધનના સંયોગથી છો પણ ધન તો ચાલ્યું જવાનું છે, તો શું જ્યારે ધન નહિ રહે ત્યારે તમે પણ નહિ રહો? તથા પાંડિત્ય તો શાસ્ત્રજ્ઞાનનું નામ છે, તો શું જ્યારે તમને શાસ્ત્રજ્ઞાન નહોતું ત્યારે તમે નહોતા? જો હતા, તો જણાય છે કે તમે ધન અને પાંડિત્યથી પણ જુદા છો અર્થાત તમે શેઠ અને પંડિત પણ નથી.
ત્યારે પ્રશ્ન ઊંઠે છે કે આખરે “હું છું કોણ ?' જો એક વાર આ પ્રશ્ન અંતરના ઊંડાણમાંથી ઊંઠ અને તેના સમાધાનની સાચી જિજ્ઞાસા જાગે તો એનો ઉત્તર મળવો દુર્લભ નથી. પણ આ “હું” પરની ખોજમાં સ્વને ભૂલી રહ્યો છે. કેવી વિચિત્ર
૧૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com