________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અંતરમાં ઉત્પન્ન થતા રાગ અને દ્વેષરૂપ ભાવહિંસા તથા ત્રસ અને સ્થાવરના ઘાતરૂપ દ્રવ્યહિંસાથી સહિત જે કોઈ કિયાઓ છે, તેને ધર્મ
માનવો એ કુધર્મ છે. એમાં શ્રદ્ધા રાખવાથી જીવ દુઃખી થાય છે. વિધાર્થી – એનાથી બચવાના ઉપાય શું છે? શિક્ષક - દેવ-શાસ્ત્ર-ગુરુનું સાચું સ્વરૂપ સમજીને તો ગૃહીત મિથ્યાત્વથી બચી
શકાય છે અને જીવાદિ તત્ત્વોની સાચી જાણકારીપૂર્વક આત્માનુભવ
કરીને અગૃહીત મિથ્યાત્વ દૂર કરી શકાય છે. વિદ્યાર્થી – તો સમજાવોને એ બધાનું સ્વરૂપ! શિક્ષક - ફરી કોઈ વાર....
પ્રશ્ન
૧. જીવ દુઃખી કેમ છે? શું દુ:ખથી છૂટી શકાય છે? જો હા, તો કેવી રીતે? ૨. ગૃહીત અને અગૃહીત મિથ્યાત્વમાં શું તફાવત છે? સ્પષ્ટ કરો. ૩. શું રાગાદિને પોષનારાં શાસ્ત્રો વાંચવાં એટલું જ માત્ર ગૃહીત મિથ્યાજ્ઞાન
છે? ૪. સંયમીની લોકમાં પૂજા થાય છે, તેથી સંયમ ધારણ કરવો જોઈએ. શું આ
કથન યુક્તિયુક્ત છે? નહિ, તો શા માટે? ૫. પં. દોલતરામજીનો પરિચય આપો. તેમની છ ઢાળામાં પહેલી અને બીજી
ઢાળમાં કઈ બાબત સમજાવવામાં આવી છે તે સ્પષ્ટ કરો.
૧૭
Please inform us of any errors on rajesh@AtmaDharma.com