________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
રા
66
-પિતાજી, આજ મંદિરમાં માણસો ગાતા હતા- નાથ તેરી પૂજાકો ફ્લ પાયા, નાથ તેરી...” આ પૂજા શું છે અને એનું ફળ શું છે? સુબોધચંદ્ર – ઈષ્ટદેવ, શાસ્ત્ર, ગુરુના ગુણોનું સ્તવન તે જ પૂજા છે.
રા – એ ઈષ્ટદેવ કોણ હોય છે?
પાઠ ૨
પૂજાવિધિ અને ફળ
સુબોધચંદ્ર-મિથ્યાત્વ, રાગ-દ્વેષ આદિનો નાશ કરીને પૂર્ણ જ્ઞાની અને સુખી થવું તે જ ઈષ્ટ છે. જેમને તેની પ્રાપ્તિ થઈ ગઈ હોય તે જ ઈષ્ટદેવ છે. અનંત ચતુષ્ટયના સ્વામી અરહંત અને સિદ્ધભગવાન જ ઈષ્ટદેવ છે અને તેઓ જ ૫૨મપૂજ્ય છે.
રાજૂ
–દેવની વાત તો હું સમજયો, શાસ્ત્ર અને ગુરુ કેવી રીતે પૂજ્ય છે? સુબોધચંદ્ર-શાસ્ત્ર તો સાચા દેવની વાણી હોવાથી અને મિથ્યાત્વ, રાગ-દ્વેષ આદિનો નાશ કરવાને લીધે તેમજ સાચા સુખના માર્ગદર્શક હોવાથી પૂજ્ય છે. નગ્ન દિગંબર ભાલિંગી ગુરુ પણ તે જ માર્ગના પથિક વીતરાગી સંત હોવાથી પૂજ્ય છે.
રા
– અમારા વિદ્યાગુરુ, માતા, પિતા વગેરે પણ ગુરુ તો કહેવાય છે. શું એમની પણ પૂજા કરવી જોઈએ ?
૬
Please inform us of any errors on rajesh@AtmaDharma.com