________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ ચોથો
છ આવશ્યક
(મંદિરજીમાં શાસ્ત્ર-પ્રવચન ચાલી રહ્યું છે. પંડિતજી શાસ્ત્ર-પ્રવચન કરી રહ્યા છે અને બધા શ્રોતાઓ રુચિપૂર્વક શ્રવણ કરી રહ્યા છે. ) પ્રવચનકાર- સંસારનાં બધાં પ્રાણીઓ સુખ ચાહે છે અને દુઃખથી ડરે છે અને તે
દુઃખોથી બચવા માટે ઉપાય પણ કરે છે, પરંતુ તેમનાથી બચવાનો
સાચો ઉપાય જાણતા નથી તેથી દુ:ખી જ રહે છે. એક શ્રોતા- તો પછી દુઃખથી બચવાનો સાચો ઉપાય કયો છે? પ્રવચનકાર- આત્માને સમજીને તેમાં લીન થવું તે જ સાચો ઉપાય છે અને એ જ
નિશ્ચયથી આવશ્યક કર્તવ્ય છે. બીજો શ્રોતા-આપ તો સાધુઓની વાત કરવા લાગ્યા, અમારા જેવા ગૃહસ્થ સાચું
સુખ પ્રાપ્ત કરવા માટે શું કરે? પ્રવચનકાર- દુઃખ મટાડવા અને સુખ પ્રાપ્ત કરવાનો ઉપાય તો બધાને માટે એક
જ છે.
એ વાત જાદી છે કે મુનિરાજ પોતાના ઉગ્ન પુરુષાર્થથી આત્માનું સુખ વિશેષ પ્રાપ્ત કરી લે છે અને ગૃહસ્થ પોતાની ભૂમિકા પ્રમાણે અંશે સુખ પ્રાપ્ત કરે છે.
ઉક્ત માર્ગે ચાલનાર સમ્યગ્દષ્ટિ શ્રાવકને આંશિક શુદ્ધિરૂપ નિશ્ચય આવશ્યકની સાથોસાથ શુભ વિકલ્પ પણ આવે છે તેને વ્યવહાર આવશ્યક કહે છે. તે જ પ્રકારના હોય છે –
૧૭
Please inform us of any errors on rajesh@AtmaDharma.com