SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૨]. [સ્વાનુભૂતિદર્શન અને વિભાવ જુદો એમ સ્વભાવ-વિભાવ બંનેને જુદા પાડવા. યથાર્થ સચિ, મહિમા, લગની, તત્ત્વવિચાર કરીને પોતે સ્વભાવ ગ્રહણ કરવાની પરીક્ષક શક્તિ અંદરથી એવી પ્રગટ કરવી જોઈએ કે આ સ્વભાવ છે ને આ વિભાવ છે. અંદર લગની લાગે તો તે થયા વગર રહેતું નથી. દેવ-શાસ્ત્ર અને ગુરુદેવ શું કહે છે તેનો આશય ગ્રહણ કરવા માટે પોતે અંદર તૈયારી કરે, ચૈતન્યનો સ્વભાવ ગ્રહણ કરવાની તીક્ષ્ણ તૈયારી કરે તો થયા વગર રહે નહિ. ઉપાય તો આ એક જ છે કે જ્ઞાયકતત્ત્વ જુદું અને વિભાવ જુદો એવું ભેદજ્ઞાન કરવું. હું અખંડ જ્ઞાયક છું-એમ દષ્ટિ થતાં ગુણભેદ-પર્યાયભેદનું જ્ઞાન તેમાં સમાઈ જાય છે. યથાર્થ દષ્ટિ થાય તેની સાથે જ્ઞાનમાં બધું સમાઈ જાય છે. તેણે પાત્રતા તૈયાર કરવાની રહે છે. જેને આત્માર્થતાનું પ્રયોજન છે તેને બધાં લૌકિક પ્રયોજન ગૌણ થઈ જાય-છૂટી જાય છે અને એક આત્માનું પ્રયોજન રહે છે. ૧૦૮. પ્રશ્ન- આ જીવ બધું સાંભળવા છતાં આગળ કેમ જતો નથી ? સમાધાનઃ- ગુરુદેવને ઊંડાણથી શું કહેવું છે? ગુરુદેવ શું કહી રહ્યા છે? તે આશય ગ્રહણ કરીને પછી પ્રયત્ન કર્યો નથી. પહેલાં તો આશય ગ્રહણ કર્યો નથી, તેથી આશય ગ્રહણ કરીને પોતાનો પુરુષાર્થ ઊપડવો જોઈએ તે ઊપડતો નથી. ગુરુદેવે માર્ગ બતાવ્યો કે આ માર્ગ છે તે બુદ્ધિમાં ગ્રહણ થયો, પણ અંતરમાં તેનો આશય ઉતારીને આગળ જવું જોઈએ તે જતો નથી. અને એમ ને એમ અજ્ઞાનમાં ઊભો રહે છે. તે જાતની રુચિ છે, પણ આગળ જતો નથી. અનંતકાળમાં કયારેક સત્ સાંભળવા તો મળ્યું છે પણ પોતે ગ્રહણ કર્યું નથી, અને ગ્રહણ કરે તો પુરુષાર્થ કરતો નથી. તેને બુદ્ધિમાં એમ તો નક્કી થાય છે કે ગુરુદેવે આ માર્ગ કહ્યો છે. વિકલ્પથી આત્મા જુદો છે, આત્મા શાશ્વત છે ને તે વિભાવથી જુદો છે. ગુણભેદ-પર્યાયભેદ વાસ્તવિક આત્મામાં નથી, આત્મા સ્વરૂપે અખંડ છે. આત્માને અને આ બધા ગુણ-પર્યાયને લક્ષણભેદ છે. એમ બુદ્ધિમાં તો તે બધું ગ્રહણ કરે છે, પણ અંતરમાં પરિણતિ કરવી જોઈએ તે કરતો નથી. એટલે કે બુદ્ધિથી નિર્ણય કરે છે, પણ આગળ જતો નથી, એટલામાં તેને સંતોષ થઈ જાય છે. પછી કરશું...કરશું એવી જાતનો પ્રમાદભાવ રહે છે એટલે આગળ જતો નથી. ૧૦૯. પ્રશ્ન- વચનામૃત બોલ ૪૭ માં એક દષ્ટાંત આવ્યું છે કે લાળથી બંધાયેલો કરોળિયો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008316
Book TitleSwanubhutidarshan
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherJagjivan Bavchand Doshi Parivar Songadh
Publication Year1996
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy