________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનીતત્ત્વચર્ચા ]
[ ૬૯ સમાધાન - જ્ઞાનમાં બધા ભેદને જાણવા, પણ દષ્ટિ એક દ્રવ્ય ઉપર કરવી અને સ્વમાં એકત્વબુદ્ધિ કરીને પરથી વિભક્ત થવું. હું એક ચૈતન્ય તત્ત્વ છું તે જાણી લેવું. અનંત ગુણ-પર્યાયોના અનંત ભેદો છે, તેની ઝાઝી અપેક્ષામાં ન રોકાતાં, મૂળ તત્ત્વને ગ્રહણ કરી લેવું કે મારું અસ્તિત્વ જ્ઞાયકરૂપે છે. ૮૧. પ્રશ્ન:- દ્રવ્યદષ્ટિના જોરમાં પર્યાય ગૌણ કરવાની વાત આવે તેમાં એકાંત પકડાઈ જાય છે, રોકાઈ જવાય છે? સમાધાન - હા, કોઈથી એકાંત પકડાઈ જાય છે. પર્યાયને જુદી માનવી કે ભેગી માનવી? એમ રોકાઈમૂંઝાઈ જાય છે.
દ્રવ્યદષ્ટિના જોરમાં શુદ્ધ પર્યાય પ્રગટ થતાં તે ભેગી છે કે જુદી છે તે તેના જ્ઞાનમાં સમજાઈ જશે, યથાર્થ પરિણતિમાં તે આવી જાય છે. પર્યાયનું વદન થાય છે. તેથી સમજાઈ જશે કે તે સર્વથા જુદી નથી. આખું દ્રવ્ય સામાન્ય છે અને પર્યાય નવી પ્રગટ થાય છે ને વ્યય થાય છે તેવો તેનો ક્ષણિક સ્વભાવ છે. પણ તે સર્વથા જુદી નથી તેમ અપેક્ષાથી સમજવું. દ્રવ્યની જેમ પર્યાય શાશ્વત નથી, નવી નવી ઉત્પન્ન થાય છે અને વ્યય થાય છે. વળી જે વેદના થાય છે તે દ્રવ્યની જ પર્યાય છે, પણ તે ક્ષણ પૂરતી છે. ૮૨. પ્રશ્ન:- આ૫ મંગલ આશીર્વાદ આપો. સમાઘાન- અંતરમાં શાયકનું લક્ષ અને બહારમાં દેવ-શાસ્ત્ર-ગુરુને હૃદયમાં રાખવા. જ્ઞાયકની સમીપતામાં જીવન ગાળવું, તે એક જ ધ્યેય રાખવા જેવું છે.
આત્મા અને આગ્નવોનો ભેદ કરવાનો છે. આગ્નવો આકુળતારૂપ છે અને ભગવાન આત્મા નિરાકુળ સ્વભાવ છે. ભગવાન આત્મા વિજ્ઞાનઘન છે તેને જુદો પાડવો તે કરવાનું છે. ચૈતન્ય છે તે પોતે જાણક-જ્ઞાયકસ્વભાવ છે. વિભાવભાવ વિપરીત ભાવ છે, વિભાવ દુઃખરૂપ છે, દુઃખનું કારણ છે. દુઃખનું કાર્ય તેમાંથી આવે છે, બધું દુઃખનું ફળ તેમાંથી આવે છે. આત્મા સુખનું ધામ છે-સુખનું કારણ છે, સુખનું કાર્ય તેમાંથી આવે છે, બધું સુખ આત્મામાંથી આવે છે. વિભાવ પોતે પોતાને જાણતો નથી, અને પરને પણ જાણતો નથી, આત્મા પોતાને જાણે છે, સ્વ-પર પ્રકાશક છે, બધાને જાણનારો છે. આ રીતે જ્ઞાયકસ્વભાવી આત્મા અને આગ્નવો વચ્ચે ભેદજ્ઞાન કરવું તે જીવનું કર્તવ્ય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com