SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates [ ૬૧ બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] પડાય છે. આત્મા જાણનારો જ્ઞાયક છે અને કષાય અશાંતિ, કલેશરૂપ છે. આ રીતે બંનેના સ્વભાવ જુદા છે. તેમાં જે જ્ઞાનસ્વભાવ છે તે હું છું, આ કષાયો હું નથી. તે મારો સ્વભાવ નથી, એમ જાણીને જ્ઞાયકને ગ્રહણ કરવો અને કષાયથી જુદાં પડવું એટલે કે ભેદજ્ઞાન કરીને જ્ઞાયકને ગ્રહણ કરવો અને જ્ઞાયક ઉ૫૨ દૃષ્ટિ કરી, તેનું જ્ઞાન કરી કષાયથી જુદા પડવું. તે ન થાય ત્યાં સુધી વારંવાર ન્યારો થવાનો પ્રયત્ન કરે, કષાયથી પાછો વળે, જ્ઞાનની મહિમા આવે ને જ્ઞાનને ઓળખે તો ભેદજ્ઞાન થાય, જ્ઞાનસ્વભાવ ઓળખ્યા વિના ભેદજ્ઞાન થઈ શકતું નથી. મુમુક્ષુઃ- જ્ઞાન અને કષાય એકમેક થઈ ગયા હોય તેવું લાગે છે? બહેનશ્રી:- તેઓ એકમેક લાગે છે પણ તેમના સ્વભાવ જુદા છે. અનાદિની એત્વબુદ્ધિ છે. એટલે કષાય એકરૂપ લાગે છે, પરંતુ જ્ઞાનસ્વભાવ તેનાથી જુદો છે. જ્ઞાન જાણનાર છે અને કષાય દુઃખરૂપ છે, કાંઈ જાણતો નથી, કષાયને જ્ઞાન નથી માટે કષાયથી જાણનાર જુદો છે. આકુળતા થઈ, રાગ થયો, દ્વેષ થયો, વિકલ્પ થયો તેનો જાણનારો જુદો છે. વિકલ્પ-વિકલ્પને જાણતો નથી, રાગ-રાગને જાણતો નથી, પણ તેનો જાણનારો છે તે જુદું તત્ત્વ છે. આ રીતે જાણનારો જુદો છે અને કષાયભાવો કે જે જાણતા નથી તે જુદા છે. ૬૭. પ્રશ્ન:- સમ્યગ્દર્શનનો વિષય શું છે? અને તે કેમ પ્રગટે? તથા મુક્તિનો ઉપાય શું છે? સમાધાનઃ- સમ્યગ્દર્શનનો વિષય શાશ્વત આત્મા, ટકતો ભાવ ગ્રહણ કરવાથી સમ્યગ્દર્શન પ્રગટે છે. પર્યાયો તો બધી પલટાયા કરે છે. અંદર આત્માને ઓળખવો. શાશ્વત આત્માને ઓળખી; ભેદજ્ઞાનની ધારા એમ ને એમ ટકાવી; હું આ ચૈતન્ય છું, વિભાવ મારાથી જુદા છે, તે આત્માનું મૂળ સ્વરૂપ નથી, ક્ષયોપશમભાવ પણ અધૂરી પર્યાય છે, એમ નિર્ણય કરી એક પૂર્ણ શાશ્વત આત્મા-કે જે કાયમ ટકનારો છે-તેને ગ્રહણ કરવો. જ્ઞાન બધાનું થાય કે આ સ્વભાવ છે, આ વિભાવ છે પણ દષ્ટિ તો એક આત્મા ઉ૫૨ ક૨વી. ભેદજ્ઞાનની ધારા ક્ષણે ક્ષણે અંતરમાં પ્રગટ થાય અને જ્ઞાતાધારાની ઉગ્રતા થાય તો વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ સ્વાનુભૂતિ થાય છે. સ્વાનુભૂતિ તે જ મુક્તિનો માર્ગ છે. અંતરમાં આત્માનો કોઈ અનુપમ સ્વભાવ છે. તેનું વેદન આવે અને સ્વાનુભૂતિ વધતી જાય, લીનતા વધતી જાય, તો ભૂમિકા પણ વધતી જાય છે. ખરું કરવાનું તો તે છે; પણ તે પહેલાં તત્ત્વવિચાર, Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
SR No.008316
Book TitleSwanubhutidarshan
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherJagjivan Bavchand Doshi Parivar Songadh
Publication Year1996
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy