________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪]
| [ સ્વાનુભૂતિદર્શન બહેનશ્રી:- ઘણા ધ્યાન કરવા બેસે અને પછી તેમાં પ્રકાશ જેવું દેખાય ને કાંઈક શાંતિ લાગે એટલે કહે કે ધ્યાન થઈ ગયું. આવી કાંઈક-કાંઈક કલ્પનાઓ થાય છે; પણ તેમાં બહારનું દેખવાનું કાંઈ નથી કેમ કે પોતે જ છે. અંદરની શાંતિ પ્રગટે અને વિકલ્પથી છૂટો પડે તે, પોતાનો આત્મા જ તેને કહી દે છે, સ્વાનુભૂતિ જ કહી દે છે. અંદરથી ન્યારા પડેલા આત્માની નિઃશંકતા અને દઢતાં જુદી જ આવે છે. અંતર એકાગ્રતાપૂર્વક પોતાનું અસ્તિત્વ ગ્રહણ થયા વગર અને વિભાવ તરફની નાસ્તિ થયા વગર અર્થાત્ ભેદજ્ઞાન થયા વગર એમ ને એમ સાચું ધ્યાન થઈ શકતું નથી. માત્ર તેના વિકલ્પ ડામાડોળ હોય તે શાંત થાય છે, ઓછા થઈ જાય છે. અંદરથી જુદો પડીને સ્વભાવની અતિ ગ્રહણ કરે અને વિભાવનું ભેદજ્ઞાન થાય એટલે કે દ્રવ્ય ઉપર દૃષ્ટિ જાય અને તેની સાથે ભેદજ્ઞાન થાય-બંને સાથે હોય તો ધ્યાનની એકાગ્રતા સાચી થાય છે. પોતાના સ્વભાવનું અસ્તિત્વ ગ્રહણ કરતાં તેનું ધ્યાન, તેની લીનતા, અને તેમાં ઢળવાનું થાય છે. ઉપયોગને અંદર પોતા તરફ વાળે તો તેને વિકલ્પ શાંત થાય છે. તેનો માર્ગ એક ભેદજ્ઞાન છે, અને તે દ્રવ્ય ઉપર દષ્ટિ કરે અને વિભાવથી નાસ્તિ થાય તો થાય છે. ૪૩. પ્રશ્ન- શ્રદ્ધા અને ચારિત્ર એ બંને ગુણોનું પરિણમન સ્વતંત્ર છે એમ કહીને શું કહેવું છે? સમાઘાન- એમ કહેવું છે કે તું શ્રદ્ધા તો યથાર્થ કર. પછી આચરણ તારા પુરુષાર્થ પ્રમાણે થશે. પ્રથમ શ્રદ્ધા સાચી કર, શ્રદ્ધા થયા ભેગું આચરણ થઈ જતું નથી. શ્રદ્ધા એ મુક્તિનો માર્ગ છે, શ્રદ્ધા વગર કાંઈ થઈ શકતું નથી. માટે મુખ્ય તો શ્રદ્ધા છે. જેવી શ્રદ્ધા હોય તે પ્રમાણે આચરણ થયા વિના રહેતું નથી. તેથી શાસ્ત્રમાં આવે છે કે બની શકે તો ધ્યાનમય પ્રતિક્રમણ કરજે, જો તે ન બની શકે તો શ્રદ્ધા તો બરાબર કરજે. શ્રદ્ધામાં આડુંઅવળું કરીશ નહિ, કે મારાથી થઈ શકતું નથી માટે માર્ગ આવો ન હોય. મુનિની જે ધ્યાનદશા શાસ્ત્રમાં કહી છે તે મારાથી થઈ શકતી નથી, માટે મુનિમાર્ગ આવો ન હોય, કાંઈક બીજો જ હોય એમ તું શ્રદ્ધામાં ભૂલ કરીશ નહિ, શ્રદ્ધા તો બરાબર કરજે. મુનિદશા ન થઈ શકે તો કબૂલ કરજે કે મારા પુરુષાર્થની ખામી છે, પણ માર્ગ તો આ જ છે. શ્રદ્ધામાં બરાબર લેજે કે માર્ગ તો આ જ છે. જે અંદર ૬ઠ્ઠા-૭માં ગુણસ્થાને હોય, વારંવાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com