SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] [૪૫ નિર્વિકલ્પદશામાં ઝૂલતા હોય તેમને વ્યવહાર પણ આવો પંચમહાવ્રતાદિનો હોય છે. માટે તેમનો નિશ્ચય-વ્યવહાર જેમ છે તેમ નક્કી કરજે, શ્રદ્ધા બરાબર કરજે. આ પંચમકાળ છે માટે થોડું આમ હોય અને થોડું આમ હોય એમ ન માનીશ, શ્રદ્ધા બરાબર કરજે. આવી દશા ન બની શકે તો તે તારા પુરુષાર્થની મંદતા છે, પણ માર્ગ તો આ જ છે. જે બધા મુક્તિને પામ્યા છે તે આ માર્ગે જ પામ્યા છે. સમ્યગ્દર્શન-સ્વાનુભૂતિ થતાં ભેદજ્ઞાનની ધારા પ્રગટે કે હું જ્ઞાયક જુદો છું અને આ શુભાશુભ ભાવ હેય છે. એવી તેની જ્ઞાયકની ધારા હોય છે, વસ્તુસ્વભાવ એવો છે, પણ તે ન બની શકે તો, થોડું આવું પણ હોય અને થોડું આવું પણ હોય-એવો માર્ગ હોય એવી કલ્પના ન કરીશ, શ્રદ્ધા બરાબર કરજે. શ્રદ્ધાગુણ અને ચારિત્રગુણ બંને જુદા છે. તેથી ચારિત્ર ન બની શકે તો તું નાસીપાસ થઈ શ્રદ્ધામાં ફેરફાર કરીશ નહિ. અંદર પરિણતિરૂપે જો સ્વાનુભૂતિદશા ન આવે તો પ્રયત્ન કરજે, પણ સ્વાનુભૂતિ કોઈ વસ્તુ નથી, એમ માનીશ નહિ. માર્ગ તો જે છે તે જ છે. ન બની શકતું હોય તો તુ શ્રદ્ધા બરાબર કરજે, પ્રયત્ન કરજે. ૪૪. પ્રશ્ન- આજના મહામંગળ આ૫ આશીર્વચન આપો. સમાધાન- બધાએ જીવનમાં એક ધ્યેય રાખવાનું-જ્ઞાયક આત્મા કેમ ઓળખાય? જીવનમાં જે નિર્ણય કર્યો છે તે નિર્ણયની દઢતાથી આગળ જવાનું છે. અંદર પુરુષાર્થ કરવો, ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો, શુભભાવમાં દેવ-શાસ્ત્ર-ગુરુની અને અંદરમાં જ્ઞાયકદેવની આરાધના-મહિમા કરવી. બસ બીજા બધા વિભાવભાવોને ગૌણ કરી દેવા અને જ્ઞાયકદેવને મુખ્ય કરીને જીવન ગાળવું. બસ તે એક જ ધ્યેય રાખવું. જે ધ્યેય નક્કી કર્યું છે કે આ રીતે જીવન ગાળવું તે એક જ ધ્યેયની દઢતાથી આગળ જવાનું છે. શાસ્ત્ર-સ્વાધ્યાય, દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા અને અંદર શુદ્ધાત્મા કેમ ઓળખાય તે ધ્યેયની દઢતા રાખવી. હું તો એક જ કહું છું અને તે એક જ કરવાનું છે કે એક આત્માને ઓળખો. બસ, તેમાં બધું આવી જાય છે. દેવ-શાસ્ત્ર-ગુરુના સાન્નિધ્યમાં રહીને તેમની અને આત્માની આરાધના કરવી. બસ, આ જ કરવાનું છે. લૌકિક જીવન જુઓ ને! કેવાં જાય છે? આ જીવન જે આત્મા માટે ગાળ્યું તે યથાર્થ જીવન છે, બાકી સંસારનાં બધાં લૌકિક જીવન નકામાં છે. લૌકિકમાં તો આખો દિવસ ખાવું, પીવું, વ્યવહાર રાખવા તે બધું હોય છે. તે બધું જીવન તે જીવન નથી. મનુષ્ય જીવનમાં શાયકનું ધ્યેય હોય Please inform us of any errors on [email protected]
SR No.008316
Book TitleSwanubhutidarshan
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherJagjivan Bavchand Doshi Parivar Songadh
Publication Year1996
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy