SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [૩૯ સમાધાનઃ- જે નથી દેખાતું તેને જોવાનો પ્રયત્ન કરવો અર્થાત્ જે અદશ્ય છે તેને દશ્યમાન કરવું અને જે દેખાય છે તેને ગૌણ કરવું. સ્વભાવ અદશ્ય લાગે છે, પણ તે દેખાય એવો છે. તેને પોતે જોતો નથી તેથી તે અદશ્ય એટલે કે ગુપ્ત થઈ ગયો છે એમ નથી; તે દેખાય, લક્ષમાં આવે, તેનાં દર્શન થાય તેમ જ જ્ઞાનમાં આવે તેમ છે. માટે તેને દેશ્યમાન કરવાનો પ્રયત્ન કરવો. બધાને જ્ઞાનસ્વભાવ તો જણાઈ રહ્યો છે. તે જ્ઞાનના લક્ષણ દ્વારા-ગુણ દ્વારા-ગુણીને ઓળખી લેવો. ગુણગુણીના ભેદ પડે, પણ તે એક જ વસ્તુ છે, જુદી નથી. શાસ્ત્રમાં આવે છે કે લક્ષણથી લક્ષ્યને ઓળખી લેવું, ઓળખવાનો પ્રયત્ન કરવો. લક્ષ્યનેજ્ઞાનસ્વભાવને ઓળખવાથી, તેમાં દષ્ટિ કરવાથી, તથા તેમાં તન્મયતા થવાથી, શાંતિ અને સુખ મળે છે. તેમાંથી જ અપાર અને અગાધ જ્ઞાન પ્રગટે છે. અપૂર્વ વીતરાગી દશા ને આનંદ તેને ગ્રહણ કરવાથી પ્રગટે છે. આ અનાદિકાળના બધા વિભાવ તો આકુળતારૂપ અને દુઃખરૂપ છે. તેને ટાળવા નિરાળા તત્ત્વને ગ્રહણ કરવું. ૪). પ્રશ્ન- રાગી જીવ ભેદનું લક્ષ કરે તો રાગ ઉત્પન્ન થાય છે. તો સામર્થ્યનો આશ્રય લેતાં સમ્યગ્દર્શન કેવી રીતે થાય? કેમ કે સામર્થ્ય પણ એક અંશ છે ને? સમાધાન:- સામર્થ્યમાં એક અંશ ન લેવો, પરંતુ અનંત શક્તિથી ભરેલો આત્મા લેવો અને તેમાં પણ અખંડ દ્રવ્યનો આશ્રય લેવાનો છે, એક ગુણનો આશ્રય લેવો એમ નહિ. તે અખંડ દ્રવ્ય કેવું છે? કે અનંત શક્તિથી-અનંત સામર્થ્યથી ભરેલું છે. તે દ્રવ્યનો આશ્રય લેવાથી શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે; જ્યારે વિભાવના આશ્રયે કે પર્યાય અને ગુણભેદ ઉપર દષ્ટિ મૂકવાથી તો રાગ થાય છે. માટે અંદર એક આખા દ્રવ્યનો આશ્રય લેવો. મુમુક્ષુઃ- ધ્રૌવ્યને અંશ કહેવામાં આવે છે ને? તે તો વિભાગ થયો, તો આખી વસ્તુ કેવી રીતે છે? બહેનશ્રી:- ધ્રૌવ્ય તે આખી વસ્તુ છે. કોઈ અપેક્ષાએ તેને અંશ તરીકે પણ લેવાય છે; છતાં તે અંશ અને આ પર્યાયના અંશમાં ફેર છે. ઉત્પાદ-વ્યય એ પલટતો અંશ છે અને આ તો શાશ્વત ધ્રુવ અંશ છે કે જે સ્થિર છે, પૂર્ણ છે. ઉત્પાદ-વ્યય પલટતા અંશો હોવાથી જ્ઞાનમાં ગૌણ થાય છે, જ્યારે શાશ્વત ધ્રૌવ્યને ગ્રહણ કર્યો તેમાં આખું અસ્તિત્વ આવી જાય છે. જે પલટે છે તે જ્ઞાનમાં આવે છે, પણ પલટે છે તેનો આશ્રય લેવામાં આવતો નથી. જે શાશ્વત Please inform us of any errors on [email protected]
SR No.008316
Book TitleSwanubhutidarshan
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherJagjivan Bavchand Doshi Parivar Songadh
Publication Year1996
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy