________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮]
[ સ્વાનુભૂતિદર્શન અવકાશ છે? તારા આત્માની મહિમા ન આવે અને એકલું જાણ્યા કરે તો પણ આત્મા તરફ વળવાનો અવકાશ નથી. માટે જ જ્ઞાન મહિમાપૂર્વક હોવું જોઈએ. મહિમા વગરનું જ્ઞાન તારા સ્વભાવ તરફ આવશે નહિ.
અરિહંત ભગવાનના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે તે પોતાના દ્રવ્ય-ગુણપર્યાયને જાણે. ભગવાનની દશાની મહિમા આવે ત્યારે ભગવાનના આત્માની મહિમા આવે અને તો નિજ આત્માની મહિમા આવે. ગુરુની દશાની મહિમા આવે તો ગુરુને ઓળખે અને ગુરુને ઓળખે તે પોતાને ઓળખે.
શ્રીમદ્જી એમ લખે છે કે “જ્ઞાની પાસે જ્ઞાન માંગવા કરતાં ભક્તિ માંગરે” કેમકે તેનાથી તને તારા સ્વભાવની મહિમા આવશે. જ્ઞાનનો સ્વભાવ શું છે? વિભાવ શું છે? તેમ તું તત્ત્વ-વિચાર કરીને જાણજે. પણ માત્ર જાણી લઉં...શીખી લઉં... ભણી લઉં....આવું બધું કરવાથી તું એમાં ને એમાં રોકાઈ જઈશ, અને તારા તરફ વળવાનો અવકાશ રહેશે નહિ. ગુરુના સ્વભાવની મહિમા આવતાં તું સહેજે અંતરમાં વળી જશે, તારાથી વિભાવમાં ટકી નહિ શકાય. જો ગુરુની દશાની મહિમા આવી તો આત્માની-સ્વભાવની મહિમા આવશે, અને તો વિભાવમાં ટકી નહિ શકાય; પોતા તરફ જવાનો પ્રયત્ન ઊપડશે. નિજ મહિમા વગર જ્ઞાન પોતાના તરફ આવશે નહિ. જો તને પોતાની મહિમા નથી આવતી તો વિભાવની મહિમામાં તું ઊભો રહીશ અને સ્વભાવ તરફ નહિ જઈ શકાય. માટે મહિમાપૂર્વક જ્ઞાન હોય. જ્ઞાન, ભક્તિ, તત્ત્વવિચાર આદિ આત્માની મહિમાપૂર્વક હોવાં જોઈએ.
જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ બધું હોય તો પોતાનામાં વળાશે, રુચિ પોતાના તરફની થશે. વિભાવમાં એકત્વબુદ્ધિ, તન્મયતા હશે તો પોતાનામાં નહિ વળી શકાય. માટે તેનાથી તે નિરાળો થજે. તારી પરિણતિનો વેગ સ્વભાવ તરફ જાય એવી અંદરથી વિરક્તિ, મહિમા, તેવા તત્ત્વના વિચાર કરજે અને તે પોતાને ઓળખીને તારા તરફ વળજે. એટલે કે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, બધું સાથે હશે તો જ તારામાં વળાશે, તે વગર વળાતું નથી. જ્ઞાન વગર કયાં જઈશ? અને મહિમા-ભક્તિ વગરનું એકલું જ્ઞાન હશે તો લૂખું થઈ જશે. માટે જ્ઞાન, મહિમા, વિરક્તિ વગર પોતા તરફ જઈ શકાતું નથી. ૩૯. પ્રશ્ન- વિભાવને અને વર્તમાન પર્યાયને ગૌણ કરી સ્વભાવનું આલંબન કરવાનું કહેવામાં આવે છે; પણ સ્વભાવ તો દેખાતો નથી ? વર્તમાન વિકાર જ દેખાય છે ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com