SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [૩૨૯ પ્રશ્ન:- ધારણાજ્ઞાન સુધી આવે છે, સમજણમાં પણ બેસે છે, પણ પરિણતિ બદલાતી નથી, તો તેનો કોઈ ઉપાય ? સમાઘાન- જે એકત્વબુદ્ધિની પરિણતિ થઈ રહી છે તે પરિણતિને ન્યારી કરતો નથી. નિર્ણય થઈ ગયો છે કે આ હું જુદો જ છું, જ્ઞાયક છું. પણ ક્ષણે ક્ષણે જે વિકલ્પોની સાથે એકત્વબુદ્ધિ કરી રહ્યો છે-એકત્ર થઈને પરિણમી રહ્યો છે-તે એકત્વને તોડતો નથી એટલે પરિણતિ બદલાતી નથી. એકત્વ તોડવાનો પ્રયાસ કરે તો તે પ્રયાસ પહેલાં અભ્યાસરૂપે થઈ શકે છે. એવબુદ્ધિ તોડવાનો અભ્યાસ ચાલે છે તો પણ એકત્વબુદ્ધિની પરિણતિ થઈ રહી છે. તે સ્થિતિમાં સહજ નથી એટલે વિચાર કરવો પડે છે કે હું જુદો છું. એમ વિચારપૂર્વકનો અભ્યાસ હોય છે, સહજ નથી. સ્વાનુભૂતિ થાય ત્યારે જ સહજ થાય છે. પ૮૫. પ્રશ્ન- દષ્ટિ, જ્ઞાન અને અંશે સ્વરૂપાચરણ ચારિત્ર એ બધું શું સાથે જ હોય છે ? સમાધાનઃ- દષ્ટિનો વિષય અખંડ દ્રવ્ય છે. દષ્ટિ તેને ગ્રહણ કરે, જ્ઞાન બધું જાણે અને ચારિત્રમાં લીનતા થાય-આ બધું એકસાથે છે. વિશેષ ચારિત્ર ભલે પછી થાય; પણ શરૂમાં બધું સાથે જ પ્રગટે છે. દષ્ટિનો વિષય મુખ્ય હોય અને જ્ઞાન બધું જાણે અર્થાત્ ભેદજ્ઞાન કરે કે આ હું છું ને આ હું નથી. સ્વ રૂપે છું, ને પર રૂપે નથી એમ સ્વ-પરનો પ્રકાશ જ્ઞાન કરે. દષ્ટિ એક પોતાને-અખંડને ગ્રહણ કરે, જ્ઞાન બધાને જાણે અને સ્વરૂપાચરણ ચારિત્ર અંશે હોય-આમ બધું સાથે હોય છે. પ૮૬. પ્રશ્ન:- અંતર્મુખ વલણ થાય છે, પણ તે એક ધારાએ રહેતું નથી. છૂટી જાય છે, તો તેના માટે શું કરવું? સમાધાનઃ- અનાદિનો એકત્વનો અભ્યાસ થઈ રહ્યો છે, એટલે આ મુશ્કેલ થઈ ગયું છે. સ્વથી એકત્વ ને પરથી વિભક્ત એવો પોતાનો સ્વભાવ સહજ છે તો પણ અનાદિનો અભ્યાસ-ટેવ થઈ ગઈ છે તેથી એત્વ સહેજે થઈ જાય છે અને સ્વભાવમાં પ્રયત્ન કરે ત્યારે માંડ થાય છે. છતાં ભેદજ્ઞાનનો અભ્યાસ એમ ને એમ ચાલુ જ રાખે તો સહજ થાય. શરૂઆતમાં પ્રયત્ન કરી કરીને તે અભ્યાસ ચાલુ રાખે તો જ દઢ થાય. મુમુક્ષુ- શરૂઆતમાં ભેદજ્ઞાનનો અભ્યાસ સહજ કેમ ચાલતો નથી ? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008316
Book TitleSwanubhutidarshan
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherJagjivan Bavchand Doshi Parivar Songadh
Publication Year1996
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy