SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦] Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [સ્વાનુભૂતિદર્શન થાય. એકાગ્રતા ક્યારે થાય? કે મૂળ વસ્તુને પકડે-ગ્રહણ કરે કે હું જાણનાર જ્ઞાયક છું. આમ તેના અસ્તિત્વને અંતરમાંથી ગ્રહણ કરે તો ધ્યાન થાય. પહેલાં ઉપર ઉપરથી બુદ્ધિથી ગ્રહણ કરે, પછી તેને અંદર પરિણતિથી ગ્રહણ કરવું જોઈએ. વસ્તુનું અસ્તિત્વ ગ્રહણ કરે તો તેની શ્રદ્ધા બરાબર થાય અને તો તેમાં એકાગ્ર થાય. મૂળ વસ્તુને ગ્રહણ કર્યા વગર ચિત્ત કયાં સ્થિર થાય ? મૂળ વસ્તુને ગ્રહણ કરે તો ચિત્ત સ્થિર થાય. - હું ચૈતન્ય એક પદાર્થ છું. જેમ બીજા બધા પદાર્થ દેખાય છે તેમ ચેતન પણ એક પદાર્થ છે. તે અનંતગુણોથી અર્થાત્ અનંત શક્તિઓથી ભરેલો એવો ચૈતન્ય પદાર્થ છે. તેને ગ્રહણ કરે તો ધ્યાન થાય. તેને શરીર અને વિભાવ સાથે એકત્વબુદ્ધિ થઈ રહી છે કે શરીર તે હું અને હું તે શરીર; વિકલ્પ તે હું અને હું તે વિકલ્પ. પણ હું જુદો કોણ છું તે જુદાનું અસ્તિત્વ તેને દેખાતું નથી. માટે પોતાનું જુદું અસ્તિત્વ પહેલાં ગ્રહણ કરવું જોઈએ. જેને બુદ્ધિમાં યથાર્થ ગ્રહણ થાય તેને યથાર્થ ધ્યાન થાય, માટે પહેલાં ભેદજ્ઞાન કરવાની જરૂર છે. ક્ષણે ક્ષણે જે વિકલ્પ આવે છે તે વિકલ્પ મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ તો જાણનાર જે અંદર છે તે હું છું, આવા જાણનારનું અસ્તિત્વ ગ્રહણ કરતાં ધ્યાન થાય. પહેલાં યથાર્થ રુચિ થાય, મહિમા લાગે, અને અંતર ચેતનમાં જ સર્વસ્વ છે, બીજું કાંઈ સર્વસ્વ-સારભૂત નથી, એમ યથાર્થ ગ્રહણ થાય ત્યારે ધ્યાન થાય એવું વસ્તુનું સ્વરૂપ છે. પાણી પોતે સ્વભાવે નિર્મળ છે, મલિનતા કાદવને લઈને આવી છે. એમાં નિર્મળી ઔષધિ નાખે તો પાણી અને કાદવ જુદા થાય. તેમ આત્મા સ્વભાવે નિર્મળ છે કેમ કે જે પદાર્થ હોય તેનો સ્વભાવ કાંઈ મલિન ન હોય, તેમાં મલિનતા વિભાવને લઈને આવી છે. જેમ પાણીમાં ઔષધિ નાખવાથી પાણી નિર્મળ થાય, તેમ પોતે જ્ઞાનરૂપી ઔષધિ દ્વારા પોતાનો સ્વભાવ જે નિર્મળ છે તેને ગ્રહણ કરે તો નિર્મળતા પ્રગટ થાય. માટે પહેલાં ભેદજ્ઞાન કરવું જોઈએ. પહેલાં યથાર્થ જ્ઞાન કરે તો યથાર્થ ધ્યાન થાય. ૪૬૧. પ્રશ્ન- સ્વાનુભૂતિમાં નિમિત્ત કોણ હોય? અને તે પ્રગટ થાય તો ખબર પડે ? સમાધાન - ગુરુદેવે બધું બતાવ્યું છે. ગુરુદેવનો ઉપદેશ અનુપમ છે. ગુરુના ઉપદેશ વગર સ્વાનુભૂતિ પ્રગટ થતી નથી; તેવો ઉપાદાન-નિમિત્તનો સંબંધ છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008316
Book TitleSwanubhutidarshan
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherJagjivan Bavchand Doshi Parivar Songadh
Publication Year1996
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy